Wednesday, March 4, 2026

AMTS બસ ભાડે લેવી હવે મોંઘી, AMTS ની સ્પેશિયલ વર્ધીની બસ માટે 2500 નો વધારો ઝીંકાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા લગ્ન સહિતના અન્ય પ્રસંગો માટે આપવામા આવતી સ્પેશિયલ વર્ધીની બસ માટે રુપિયા 2500 સુધીનો ભાડા વધારો ઝીંકી દેતા શહેરીજનો ઉપર વધારાનો બોજ લાદવામાં આવ્યો છે.અગાઉ લઘુત્તમ રુપિયા બે હજાર ભાડુ વસૂલાતુ હતુ.રાત્રિના સમય માટે બમણુ ભાડુ વસૂલવામા આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરીજનોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પેશિયલ વર્ધી માટે AMTS બસ ભાડે આપવામાં આવે છે. બે કલાક માટે 2000 રૂપિયા લેખે બસ ભાડે આપવામાં આવતી હતી જેમાં પ્રતિ કલાકના 1000 લેવામાં આવતા હતા. હવેથી આ લઘુત્તમ સમયમાં 1 કલાકનો ઉમેરો કરવામાં આવ્યો એટલે કે હવે ત્રણ કલાક માટે બસ ભાડે લેવામાં આવશે. પ્રતિ કલાકમાં 500 રૂપિયાનો વધારો કરી હવે પ્રતિ કલાકના 1500 લેવામાં આવશે. જેથી, હવે લઘુત્તમ 4500 રૂપિયા ચૂકવવા પડશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ બહાર એટલે કે ઔડા વિસ્તારમાં બસ લઇ જવી હશે તો પ્રતિ કલાકના 2500 લેખે 7500 રૂપિયા ચૂકવવા પડશે, ત્યારબાદ દર કલાકે 2500 રૂપિયા ચાર્જ ગણવામાં આવશે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા આવકમાં વધારો કરવા માટે હવે સ્પેશિયલ વર્ધીની બસોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.

AMTS દ્વારા શ્રાવણ માસ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા શિવ મંદિરો સહિતના અન્ય મંદિરો સુધી શ્રધ્ધાળુઓને પહોંચાડવા બસ શરુ કરવાની જાહેરાત કરી છે. બસ દીઠ 30 પેસેન્જરો બેસી શકે એમ છે.આમ છતાં 40 પેસેન્જરો બસ દીઠ લેવામાં આવશે.બસ દીઠ મ્યુનિ.હદમાં રહેનારાએ રુપિયા ત્રણ હજાર તથા હદ બહાર રહેનારાએ રુપિયા પાંચ હજાર જમા કરાવવા પડશે.બસ મેળવવા મ્યુનિ.નું છેલ્લુ પ્રોપર્ટી ટેકસ બિલ ભર્યાની નકલ આપવી પડશે.લાલદરવાજા,મણિનગર,વાડજ તથા સારંગપુર ટર્મિનસ ખાતેથી સવારના 8.15 કલાકથી બસ ઉપડી સાંજે 4.45 કલાકે પરત ફરશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...