Thursday, March 12, 2026

અમદાવાદમાં હવે અનેક PIની બદલીની શક્યતા, મનપસંદ પોલીસ સ્ટેશન માટે પડાપડી

spot_img
Share

અમદાવાદ : હાલમાં જ રાજ્યના IAS IPS અધિકારીઓની બદલી અને પોસ્ટીંગના ઓર્ડર કરવામાં આવ્યા છે. તેવામાં છેલ્લાં ઘણાં દિવસોથી અમદાવાદના અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટરની બદલીની ચર્ચાઓ ચાલી રહી છે. તેવામાં તમામ ચર્ચાઓ અને અટકળોનો ટૂંક સમયમાં અંત આવી શકે છે. પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા ટૂંકા સમયગાળામાં બદલીની યાદી જાહેર કરશે. તેવામાં શહેરના ક્રિમ પોલીસ સ્ટેશન મેળવવા માટે અમુક પોલીસ ઈન્સ્પેક્ટર હવાતિયા મારતા હોય તેવી સ્થિતી સર્જાઈ છે.

મીડિયા રિપોર્ટ મુજબ, અમદાવાદનાં વટવા, વટવા જીઆઈડીસી, નારોલ, વાડજ, સાબરમતી, રાણીપ, નવરંગપુરા, કારંજ, શાહપુર, ગાયકવાડ હવેલી, દરિયાપુર, ઈસનપુર, દાણીલીમડા તેમજ ટ્રાફિકના અમુક પોલીસ સ્ટેશના પીઆઈની બદલીઓ કરવામાં આવી શકે છે. પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર આ બદલીઓ શહેર પોલીસ કમિશનર રજા પરથી પરત આવ્યા ત્યારે કરવાની હતી, પરંતુ અમુક કારણોસર કરવામાં આવી ન હતી. તેવામાં આગામી એક સપ્તાહમાં આ બદલીનો ઓર્ડર કરી દેવાય તેવી પુરી શક્યતાઓ સેવાઈ રહી છે.

અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને એક જ પોલીસ મથકમાં લાબો સમયગાળો થઈ ગયો હોય અને પોલીસ વિભાગમાં એક પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેક્ટર એક બે વર્ષથી લાંબો સમય ફરજ બજાવે બાદમાં બદલીને અન્ય પોલીસ મથકે મુકી દેવામાં આવે છે તેવામાં આ જ થીયરીના આધારે અમદાવાદમાં બદલીઓ કરવામાં આવનાર છે. જોકે શહેરના ઈસનપુર અને દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ અને પીસીબી દ્વારા પાડવામાં આવેલા દરોડાના કારણે પીઆઈની બદલી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

અમદાવાદનાં પૂર્વમાં આવતા અનેક મનપસંદ મલાઈદાર પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી કરવામાં આવી શકે છે. તેવામાં તે પોલીસ સ્ટેશનમાં બદલી મેળવવા માટે પોલીસ ઈન્સ્પેક્ટરોમાં પડાપડી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, બીજી તરફ મનપસંદ મલાઈદાર પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરજ બજાવી રહેલા પીઆઈની અન્ય પોલીસ સ્ટેશનમાં બદલી થઈ જશે તેવી ચીંતા સતાવી રહી છે.

શહેરના મનપસંદ મલાઈદાર પોલીસ સ્ટેશન માટે તો અમુક અધિકારી એડિચોટીનુ જોર લગાવી રહ્યા હોય તેવો માહોલ છે પરંતુ પોલીસ કમિશનર દ્વારા અગાઉ પણ બદલીઓ કરીને તમામને ચોંકાવી દીધા હતા તેવામાં આ વખતની બદલીમાં પણ નવાજુની જોવા મળી શકે છે. તેવામાં પોલીસ કમિશનરની આગેવાની કામ કરતી પીસીબી સ્કવોર્ડના પીઆઈ બનવા માટે પણ અમુક પોલીસ ઈન્સ્પેક્ટર સપના જોઈ રહ્યા છે. તેવામાં પોલીસ કમિશનર દ્વારા બદલીની લીસ્ટ તૈયાર કરી દેવામાં આવી હોય અને ગમે તે સમયે જાહેર કરવામા આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને રાજ્ય પોલીસ વડા દ્વારા અનેક પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી અને અન્ય જિલ્લામાંથી આવેલા પીઆઈને પોલીસ મથકોની જવાબદારી સોંપી હતી. પોલીસ કમિશનર જી.એસ મલિકને અમદાવાદ સી.પી તરીકેનો ચાર્જ લીધાને એક વર્ષ પુર્ણ થઈ ચુક્યું છે, તેવામાં જે પોલીસ ઈન્સ્પેક્ટરો તેમના આવ્યા પહેલાથી અથવા તો લાંબા સમયથી એક જ પોલીસ મથકમાં ફરજ બજાવે છે તેવા પીઆઈની બદલી કરવામાં આવી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...