Wednesday, January 14, 2026

અમદાવાદમાં હવે અનેક PIની બદલીની શક્યતા, મનપસંદ પોલીસ સ્ટેશન માટે પડાપડી

spot_img
Share

અમદાવાદ : હાલમાં જ રાજ્યના IAS IPS અધિકારીઓની બદલી અને પોસ્ટીંગના ઓર્ડર કરવામાં આવ્યા છે. તેવામાં છેલ્લાં ઘણાં દિવસોથી અમદાવાદના અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટરની બદલીની ચર્ચાઓ ચાલી રહી છે. તેવામાં તમામ ચર્ચાઓ અને અટકળોનો ટૂંક સમયમાં અંત આવી શકે છે. પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા ટૂંકા સમયગાળામાં બદલીની યાદી જાહેર કરશે. તેવામાં શહેરના ક્રિમ પોલીસ સ્ટેશન મેળવવા માટે અમુક પોલીસ ઈન્સ્પેક્ટર હવાતિયા મારતા હોય તેવી સ્થિતી સર્જાઈ છે.

મીડિયા રિપોર્ટ મુજબ, અમદાવાદનાં વટવા, વટવા જીઆઈડીસી, નારોલ, વાડજ, સાબરમતી, રાણીપ, નવરંગપુરા, કારંજ, શાહપુર, ગાયકવાડ હવેલી, દરિયાપુર, ઈસનપુર, દાણીલીમડા તેમજ ટ્રાફિકના અમુક પોલીસ સ્ટેશના પીઆઈની બદલીઓ કરવામાં આવી શકે છે. પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર આ બદલીઓ શહેર પોલીસ કમિશનર રજા પરથી પરત આવ્યા ત્યારે કરવાની હતી, પરંતુ અમુક કારણોસર કરવામાં આવી ન હતી. તેવામાં આગામી એક સપ્તાહમાં આ બદલીનો ઓર્ડર કરી દેવાય તેવી પુરી શક્યતાઓ સેવાઈ રહી છે.

અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને એક જ પોલીસ મથકમાં લાબો સમયગાળો થઈ ગયો હોય અને પોલીસ વિભાગમાં એક પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેક્ટર એક બે વર્ષથી લાંબો સમય ફરજ બજાવે બાદમાં બદલીને અન્ય પોલીસ મથકે મુકી દેવામાં આવે છે તેવામાં આ જ થીયરીના આધારે અમદાવાદમાં બદલીઓ કરવામાં આવનાર છે. જોકે શહેરના ઈસનપુર અને દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ અને પીસીબી દ્વારા પાડવામાં આવેલા દરોડાના કારણે પીઆઈની બદલી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

અમદાવાદનાં પૂર્વમાં આવતા અનેક મનપસંદ મલાઈદાર પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી કરવામાં આવી શકે છે. તેવામાં તે પોલીસ સ્ટેશનમાં બદલી મેળવવા માટે પોલીસ ઈન્સ્પેક્ટરોમાં પડાપડી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, બીજી તરફ મનપસંદ મલાઈદાર પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરજ બજાવી રહેલા પીઆઈની અન્ય પોલીસ સ્ટેશનમાં બદલી થઈ જશે તેવી ચીંતા સતાવી રહી છે.

શહેરના મનપસંદ મલાઈદાર પોલીસ સ્ટેશન માટે તો અમુક અધિકારી એડિચોટીનુ જોર લગાવી રહ્યા હોય તેવો માહોલ છે પરંતુ પોલીસ કમિશનર દ્વારા અગાઉ પણ બદલીઓ કરીને તમામને ચોંકાવી દીધા હતા તેવામાં આ વખતની બદલીમાં પણ નવાજુની જોવા મળી શકે છે. તેવામાં પોલીસ કમિશનરની આગેવાની કામ કરતી પીસીબી સ્કવોર્ડના પીઆઈ બનવા માટે પણ અમુક પોલીસ ઈન્સ્પેક્ટર સપના જોઈ રહ્યા છે. તેવામાં પોલીસ કમિશનર દ્વારા બદલીની લીસ્ટ તૈયાર કરી દેવામાં આવી હોય અને ગમે તે સમયે જાહેર કરવામા આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને રાજ્ય પોલીસ વડા દ્વારા અનેક પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી અને અન્ય જિલ્લામાંથી આવેલા પીઆઈને પોલીસ મથકોની જવાબદારી સોંપી હતી. પોલીસ કમિશનર જી.એસ મલિકને અમદાવાદ સી.પી તરીકેનો ચાર્જ લીધાને એક વર્ષ પુર્ણ થઈ ચુક્યું છે, તેવામાં જે પોલીસ ઈન્સ્પેક્ટરો તેમના આવ્યા પહેલાથી અથવા તો લાંબા સમયથી એક જ પોલીસ મથકમાં ફરજ બજાવે છે તેવા પીઆઈની બદલી કરવામાં આવી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...