Wednesday, March 4, 2026

નારણપુરામાં કિન્નરના સ્વાંગમાં ઘરમાં વિધિ કરવાના બહાને ઠગાઈ કરનાર ગઠિયાની પોલીસે કરી ધરપકડ

spot_img
Share

અમદાવાદ: નારણપુરામાં સુંદરનગર એપાર્ટમેન્ટમાં ગત માર્ચ માસમાં એક શખ્સ કિન્નરના સ્વાંગમાં આવ્યો હતો. અહીં રહેતા શિક્ષિકાના ઘરે ચા પીવા જવાનું કહીને તે ઘરમાં ઘૂસ્યો હતો. બાદમાં તેણે ઘરમાં મેલી વિદ્યા હોવાથી પૂજા કરવાનું કહીને સોનાની ચેઇન અને રોકડ રકમ વિધિ કરવા માટે માગીને પાણીમાં કંકુ નાખીને પી ગયો હતો. ચાર રસ્તે વિધિ કરીને પરત આવવાનું કહીને દાગીના અને રોકડ લઈને ફરાર થનારની નારણપુરા પોલીસે ધરપકડ કરી છે. કિન્નરનો વેશ ધારણ કરીને મેલી વિદ્યા હોવાનું કહીને આરોપીએ અગાઉ પણ અનેક ઠગાઇ કરી હોવાનું જણાયું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારણપુરાના સુંદરનગર એપાર્ટમેન્ટમાં રહેતા સોનલબેન ઠક્કર નામની શિક્ષિકાના ઘરે ગત તા.15મી માર્ચે તેમના ત્યાં કિન્નરના સ્વાંગમાં એક શખ્સ આવ્યો હતો. આ શખ્સે ઘરમાં ચા પીવાની ઈચ્છા દર્શાવીને એન્ટ્રી લીધી હતી. બાદમાં સોનલબેનના ઘરમાં કોઈએ મેલી વિદ્યા કરી છે તેમ કહીને ધૂણવા લાગ્યો હતો. સોનલબેને મેલી વિદ્યાના નિકાલ બાબતે પૂછતા આ શખ્સે ઘરમાં વિધિ કરવાનું કહીને સોનાની ચેઈન અને રોકડા રૂપિયા લીધા હતા.આ બંને વસ્તુ એક કાપડમાં મૂકાવીને તેણે એક ગ્લાસમાં પાણી ભરીને તેમાં કંકુ નાખીને પી ગયો હતો. બાદમાં ચાર રસ્તે વિધિ કરીને ચેઇન અને રોકડ આપવાનું કહીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ મામલે નારણપુરા પોલીસે તપાસ કર્યા બાદ મૂળ રાજકોટના પડધરી નજીક આવેલ તરઘડી ગામના રહેવાસી જિતુ પરમારની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તે અગાઉ સાબરમતી, લિંબાયત, મહારાષ્ટ્રના આંબાઝરીમાં પણ આ રીતે ઠગાઇના ગુનામાં ઝડપાયો હતો.

આરોપી પાસેથી પોલીસે સોનાની ચેઈન, પેન્ડલ અને રોકડ 3500 રૂપીયા પણ કબ્જે કર્યા છે. જો કે મહત્વની બાબત તો એ છે કે આ પ્રકારના ગુના આચરવા માટે તે રેકી કરતો હતો અને જ્યાં મહિલા કે સિનિયર સિટીઝન એકલા હોય ત્યાં ટાર્ગેટ કરતો હતો. ગુનો આચર્યા બાદ આરોપી માત્ર તેના પરિવારજનોનો સંપર્ક રાખતો હતો. પોલીસથી બચવા માટે તેણે ફોન નંબર બદલી નાખ્યો હતો. પરંતુ સીસીટીવી આધારે આરોપીની વિગતો મેળવીને તેની ધરપકડ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...