Tuesday, January 20, 2026

નારણપુરામાં કિન્નરના સ્વાંગમાં ઘરમાં વિધિ કરવાના બહાને ઠગાઈ કરનાર ગઠિયાની પોલીસે કરી ધરપકડ

spot_img
Share

અમદાવાદ: નારણપુરામાં સુંદરનગર એપાર્ટમેન્ટમાં ગત માર્ચ માસમાં એક શખ્સ કિન્નરના સ્વાંગમાં આવ્યો હતો. અહીં રહેતા શિક્ષિકાના ઘરે ચા પીવા જવાનું કહીને તે ઘરમાં ઘૂસ્યો હતો. બાદમાં તેણે ઘરમાં મેલી વિદ્યા હોવાથી પૂજા કરવાનું કહીને સોનાની ચેઇન અને રોકડ રકમ વિધિ કરવા માટે માગીને પાણીમાં કંકુ નાખીને પી ગયો હતો. ચાર રસ્તે વિધિ કરીને પરત આવવાનું કહીને દાગીના અને રોકડ લઈને ફરાર થનારની નારણપુરા પોલીસે ધરપકડ કરી છે. કિન્નરનો વેશ ધારણ કરીને મેલી વિદ્યા હોવાનું કહીને આરોપીએ અગાઉ પણ અનેક ઠગાઇ કરી હોવાનું જણાયું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારણપુરાના સુંદરનગર એપાર્ટમેન્ટમાં રહેતા સોનલબેન ઠક્કર નામની શિક્ષિકાના ઘરે ગત તા.15મી માર્ચે તેમના ત્યાં કિન્નરના સ્વાંગમાં એક શખ્સ આવ્યો હતો. આ શખ્સે ઘરમાં ચા પીવાની ઈચ્છા દર્શાવીને એન્ટ્રી લીધી હતી. બાદમાં સોનલબેનના ઘરમાં કોઈએ મેલી વિદ્યા કરી છે તેમ કહીને ધૂણવા લાગ્યો હતો. સોનલબેને મેલી વિદ્યાના નિકાલ બાબતે પૂછતા આ શખ્સે ઘરમાં વિધિ કરવાનું કહીને સોનાની ચેઈન અને રોકડા રૂપિયા લીધા હતા.આ બંને વસ્તુ એક કાપડમાં મૂકાવીને તેણે એક ગ્લાસમાં પાણી ભરીને તેમાં કંકુ નાખીને પી ગયો હતો. બાદમાં ચાર રસ્તે વિધિ કરીને ચેઇન અને રોકડ આપવાનું કહીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ મામલે નારણપુરા પોલીસે તપાસ કર્યા બાદ મૂળ રાજકોટના પડધરી નજીક આવેલ તરઘડી ગામના રહેવાસી જિતુ પરમારની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તે અગાઉ સાબરમતી, લિંબાયત, મહારાષ્ટ્રના આંબાઝરીમાં પણ આ રીતે ઠગાઇના ગુનામાં ઝડપાયો હતો.

આરોપી પાસેથી પોલીસે સોનાની ચેઈન, પેન્ડલ અને રોકડ 3500 રૂપીયા પણ કબ્જે કર્યા છે. જો કે મહત્વની બાબત તો એ છે કે આ પ્રકારના ગુના આચરવા માટે તે રેકી કરતો હતો અને જ્યાં મહિલા કે સિનિયર સિટીઝન એકલા હોય ત્યાં ટાર્ગેટ કરતો હતો. ગુનો આચર્યા બાદ આરોપી માત્ર તેના પરિવારજનોનો સંપર્ક રાખતો હતો. પોલીસથી બચવા માટે તેણે ફોન નંબર બદલી નાખ્યો હતો. પરંતુ સીસીટીવી આધારે આરોપીની વિગતો મેળવીને તેની ધરપકડ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...