Saturday, March 7, 2026

ઘાટલોડીયાની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં ગણેશ ઉત્સવની અનોખી ઉજવણી, ગણેશ મેકિંગ સ્પર્ધા યોજાઈ

spot_img
Share

અમદાવાદ : ગણેશ ઉત્સવની ઉજવણી હાલ થઇ રહી છે. ગણેશ ભક્તો ભગવાનની ભક્તિમાં લીન બન્યા છે.ત્યારે ઘાટલોડીયામાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં વિઘ્નહર્તા વિનાયકની આરાધના કરવા જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રાત:વંદના અને આરતીથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઉત્સવના મહત્વ વિશે બાળકોને માહિતી આપવામાં આવી હતી. વિવિધ સાત સ્ટેજ પર પ્રોમન્સ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ભજન મંડળી, સોલો શાસ્ત્રીય નૃત્ય, સોલો ડાન્સ, મરાઠી સમૂહ નૃત્ય, ગણપતિ સ્તુતિ અભિનય સાથે રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના 40 વિદ્યાર્થીઓ વિવિધ વેશભૂષામાં પોતાની કલા રજૂ કરીને આનંદના ભાગીદાર બન્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધાં હતાં.

આ અગાઉ ગત સપ્તાહે ગણેશ ચતુર્થીના પ્રારંભ નિમિત્તે શાળામાં ગણેશ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના 90 વિદ્યાર્થીઓ ભાગ લઈને માટીમાંથી ગણેશની આબેહૂબ મૂર્તિઓ બનાવી હતી. આ તમામ મૂર્તિઓને નાની નાની વસ્તુઓથી સુંદર શણગાર કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમના અંતમાં વર્ગ વાર વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ શિક્ષક મિત્રોએ બાળકોને માર્ગદર્શન આપી મહેનત કરાવી હતી. તમામ વિદ્યાર્થીઓ મૂર્તિઓનું પ્રદર્શન નિહાળી ભારોભાર કરી હતી.

શાળાના વિદ્યાર્થીઓએ માટીના ગણેશ બનાવી બીજા લોકોમાં એક પ્રેરણાનું કામ કર્યું છે. જો તમામ લોકો આવો અભિગમ દાખવે તો પર્યાવરણને મોટો ફાયદો થાય. વિદ્યાર્થીઓના આ નવા અભિગમની તમામ લોકો પ્રશંસા કરી રહ્યા છે. ગણપતિ મહોત્સવ મૂળ તો મહારાષ્ટ્રનો તહેવાર છે. પરંતુ આજે એવું કોઈ રાજ્ય કે શહેર નહીં હોય જ્યાં ગણપતિ મહોત્સવ થતો નહીં હોય. દેશભરમાં ગણપતિ મહોત્સવ રંગે ચંગે ઉજવાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...