Tuesday, January 20, 2026

ઘાટલોડીયાની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં ગણેશ ઉત્સવની અનોખી ઉજવણી, ગણેશ મેકિંગ સ્પર્ધા યોજાઈ

spot_img
Share

અમદાવાદ : ગણેશ ઉત્સવની ઉજવણી હાલ થઇ રહી છે. ગણેશ ભક્તો ભગવાનની ભક્તિમાં લીન બન્યા છે.ત્યારે ઘાટલોડીયામાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં વિઘ્નહર્તા વિનાયકની આરાધના કરવા જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રાત:વંદના અને આરતીથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઉત્સવના મહત્વ વિશે બાળકોને માહિતી આપવામાં આવી હતી. વિવિધ સાત સ્ટેજ પર પ્રોમન્સ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ભજન મંડળી, સોલો શાસ્ત્રીય નૃત્ય, સોલો ડાન્સ, મરાઠી સમૂહ નૃત્ય, ગણપતિ સ્તુતિ અભિનય સાથે રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના 40 વિદ્યાર્થીઓ વિવિધ વેશભૂષામાં પોતાની કલા રજૂ કરીને આનંદના ભાગીદાર બન્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધાં હતાં.

આ અગાઉ ગત સપ્તાહે ગણેશ ચતુર્થીના પ્રારંભ નિમિત્તે શાળામાં ગણેશ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના 90 વિદ્યાર્થીઓ ભાગ લઈને માટીમાંથી ગણેશની આબેહૂબ મૂર્તિઓ બનાવી હતી. આ તમામ મૂર્તિઓને નાની નાની વસ્તુઓથી સુંદર શણગાર કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમના અંતમાં વર્ગ વાર વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ શિક્ષક મિત્રોએ બાળકોને માર્ગદર્શન આપી મહેનત કરાવી હતી. તમામ વિદ્યાર્થીઓ મૂર્તિઓનું પ્રદર્શન નિહાળી ભારોભાર કરી હતી.

શાળાના વિદ્યાર્થીઓએ માટીના ગણેશ બનાવી બીજા લોકોમાં એક પ્રેરણાનું કામ કર્યું છે. જો તમામ લોકો આવો અભિગમ દાખવે તો પર્યાવરણને મોટો ફાયદો થાય. વિદ્યાર્થીઓના આ નવા અભિગમની તમામ લોકો પ્રશંસા કરી રહ્યા છે. ગણપતિ મહોત્સવ મૂળ તો મહારાષ્ટ્રનો તહેવાર છે. પરંતુ આજે એવું કોઈ રાજ્ય કે શહેર નહીં હોય જ્યાં ગણપતિ મહોત્સવ થતો નહીં હોય. દેશભરમાં ગણપતિ મહોત્સવ રંગે ચંગે ઉજવાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...