Thursday, March 5, 2026

ધન્ય આજની ઘડી રળિયામણી, સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલની વર્ષગાંઠની વધામણી, આજે 60માં વર્ષમાં પંથે આગે કદમ માંડ્યા

spot_img
Share

અમદાવાદ : શહેરમાં સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડો. હર્ષદ પટેલનો આજે જન્મદિવસ છે. 13મી સપ્ટેમ્બરના 1965 ના રોજ જન્મેલા 60માં વર્ષમાં પંથે આગે કદમ માંડ્યા છે. 2023માં પાટીદારો પ્રભુત્વ ધરાવતી સાબરમતી બેઠક પરથી ચૂંટણી જીતેલા શ્રી હર્ષદ પટેલ એક કડક અને પ્રમાણિક પદાધિકારી તરીકેની છાપ ધરાવે છે. તેઓનું સંગઠનમાં નોંધપાત્ર યોગદાન છે અને સંગઠનમાં બહોળો અનુભવ ધરાવતા હોવાને કારણે તેઓની ઉત્કૃષ્ટ વહીવટકર્તા તરીકેની ઓળખ પણ છે.

તેઓએ વિદ્યાર્થી પરિષદથી શરૂઆત કરી અને સંઘ સાથે પણ વર્ષોથી સંકળાયેલ છે, તેઓ અમદાવાદ શહેર ભાજપના પુર્વ ઉપપ્રમુખ હતા. આ ઉપરાંત તેઓ મહીસાગર અને અરવલ્લી જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે.

તેઓ ગૃહપ્રધાન અમિત શાહના વિશ્વાસુ ગણાય છે, તાજેતરમાં સંપન્ન થયેલ ગાંધીનગર લોકસભાની ચૂંટણીમાં ઇન્ચાર્જ તરીકે જવાબદારી તરીકે નિભાવી હતી. અને ગૃહપ્રધાન અમિત શાહે જ્વલંત વિજય મેળવ્યો હતો.

સાબરમતી બેઠક પર વિજય બાદ ધારાસભ્ય તરીકે અસરકારક કામગીરી માટે જાણીતા છે, જીતના બીજા જ દિવસથી કામમાં જોતરાયા બાદ વધુમાં વધુ લોકો વચ્ચે રહેવું અને સામાન્ય જન સુઘી પહોચવું એ મુખ્ય ધ્યેય હોવાનું તેમના નજીકના લોકો જણાવી રહ્યાં છે.

આ ઉપરાંત તેઓ હાઈકમાનના પ્રીતિ પાત્ર ગણાય છે. તેઓના જન્મદિન નિમિત્તે મિર્ચી ન્યુઝ પરિવાર જન્મદિવસની શુભેચ્છાઓ અને વધુ ઉજ્જવળભાવી માટે શુભકામનાઓ પાઠવે છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...