Thursday, January 22, 2026

ધન્ય આજની ઘડી રળિયામણી, સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલની વર્ષગાંઠની વધામણી, આજે 60માં વર્ષમાં પંથે આગે કદમ માંડ્યા

spot_img
Share

અમદાવાદ : શહેરમાં સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડો. હર્ષદ પટેલનો આજે જન્મદિવસ છે. 13મી સપ્ટેમ્બરના 1965 ના રોજ જન્મેલા 60માં વર્ષમાં પંથે આગે કદમ માંડ્યા છે. 2023માં પાટીદારો પ્રભુત્વ ધરાવતી સાબરમતી બેઠક પરથી ચૂંટણી જીતેલા શ્રી હર્ષદ પટેલ એક કડક અને પ્રમાણિક પદાધિકારી તરીકેની છાપ ધરાવે છે. તેઓનું સંગઠનમાં નોંધપાત્ર યોગદાન છે અને સંગઠનમાં બહોળો અનુભવ ધરાવતા હોવાને કારણે તેઓની ઉત્કૃષ્ટ વહીવટકર્તા તરીકેની ઓળખ પણ છે.

તેઓએ વિદ્યાર્થી પરિષદથી શરૂઆત કરી અને સંઘ સાથે પણ વર્ષોથી સંકળાયેલ છે, તેઓ અમદાવાદ શહેર ભાજપના પુર્વ ઉપપ્રમુખ હતા. આ ઉપરાંત તેઓ મહીસાગર અને અરવલ્લી જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે.

તેઓ ગૃહપ્રધાન અમિત શાહના વિશ્વાસુ ગણાય છે, તાજેતરમાં સંપન્ન થયેલ ગાંધીનગર લોકસભાની ચૂંટણીમાં ઇન્ચાર્જ તરીકે જવાબદારી તરીકે નિભાવી હતી. અને ગૃહપ્રધાન અમિત શાહે જ્વલંત વિજય મેળવ્યો હતો.

સાબરમતી બેઠક પર વિજય બાદ ધારાસભ્ય તરીકે અસરકારક કામગીરી માટે જાણીતા છે, જીતના બીજા જ દિવસથી કામમાં જોતરાયા બાદ વધુમાં વધુ લોકો વચ્ચે રહેવું અને સામાન્ય જન સુઘી પહોચવું એ મુખ્ય ધ્યેય હોવાનું તેમના નજીકના લોકો જણાવી રહ્યાં છે.

આ ઉપરાંત તેઓ હાઈકમાનના પ્રીતિ પાત્ર ગણાય છે. તેઓના જન્મદિન નિમિત્તે મિર્ચી ન્યુઝ પરિવાર જન્મદિવસની શુભેચ્છાઓ અને વધુ ઉજ્જવળભાવી માટે શુભકામનાઓ પાઠવે છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...