Wednesday, January 14, 2026

શું સરકાર ખરેખર રિડેવલપમેન્ટ ઈચ્છે છે? રિડેવલપમેન્ટ પોલીસી અને અમલીકરણના મુદ્દે અનેક સવાલો !!

spot_img
Share

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં અમદાવાદ સહિત અનેક નાના મોટા શહેરોમાં જૂની ફ્લેટ ટાઈપની સોસાયટીઓમાં ઠેર ઠેર બ્લોક ધસી પડવાના કે છત કે સ્લેબ પડી જવાના બનાવો બની રહ્યા છે પછી તે પબ્લિક સોસાયટી હોય કે પ્રાઈવેટ સોસાયટી. ક્યાંક નાની ઈજાઓ થઈ તો ક્યાંક જાનહાનિ પણ થઈ હોવાના અહેવાલો અવારનવાર પ્રકાશિત થતા હોય છે.પરંતુ જાેવા જઈએ તો આ સમસ્યા સમાધાન રૂપ રિડેવલપમેન્ટમાં કોઈ ગતિ નથી, લાગે છે સરકાર પણ ગોકળગતીથી જ રિડેવલપમેન્ટ પોલીસીને આગળ વધારવા માંગે છે અથવા તો સરકારને રિડેવલપમેન્ટના કામમાં કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે પ્રાઈવેટ (ખાનગી) સોસાયટીઓમાં ફક્ત અમદાવાદ શહેરમાં અનેક સોસાયટીઓમાં બે-ત્રણ સભ્યોને કારણે સમગ્ર રિડેવલપમેન્ટની કામગીરી અટકે છે જેને કારણે બહુમતી સભ્યોને હેરાન થવું પડી રહ્યું છે. આમ પેપર વર્ક અને દરેક સોસાયટીને નામદાર હાઈકોર્ટમાંથી અસંમત સભ્યોના મકાન ખાલી કરાવવાનો ઓર્ડર લાવવો પડે છે.

પબ્લિક હાઉસિંગ એટલે હાઉસીંગ બોર્ડની સોસાયટીમાં બાબુશાહી રાજ ચાલે છે, વર્ષોથી કેટલાય ટેન્ડર પડેલા છે પણ તે ટેન્ડરની કાર્યવાહી આગળ વધતી જ નથી, જાણે કે ગ્રહણ લાગી ગયું હોય. કેટલીક સોસાયટીઓમાં રહીશો રસ ધરાવતા હોવા છતા સોસાયટીના આગેવાનોની અંદરોઅંદરની લડાઈને કારણે સમગ્ર રિડેવલપમેન્ટની કામગીરી અટકે છે, છેવટે હાઉસીંગના રહીશોને ભોગવવાનું આવી રહ્યું છે.

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પેપર પર અનેક ટેન્ડર પ્રકાશિત કરી દીધા છે અને અનેક સોસાયટીઓમાં બિલ્ડરની પણ નિમણંુક થઈ ગયા છે પણ જાણે બિલ્ડર્સએ પોતાનો કોઈ સોસાયટી પર થપ્પો કરી લીધો હોય અને વર્ષો સુધી તેમાં રિડેવલપમેન્ટ પ્રક્રિયા ખોરંભે જ પડેલી રાખે છે. જેમાં અધિકારીઓની પણ સાંઠગાંઠ હોવાની પૂરી આશંકા છે, નહિતર ટેન્ડર મર્યાદાઓનું કોઈ પાલન આવા કેસોમાં થતું નથી. જ્યારે કેટલીક સોસાયટીઓમાં અધિકારીઓ ટેન્ડર અને તેના નીતિ નિયમો બતાવી સોસાયટી સભ્યો, એસોસિયેશન કે બિલ્ડરને ડરાવવાનો પ્રયાસ કરતા હોય છે, આમ હાઉસીંગ બોર્ડની ડબલ સ્ટાન્ડર્ડ જેવી બેધારી નીતિને કારણે આખરે નિર્દાેષ રહીશોને ભોગવવાનું આવે છે.

અગાઉ વાત કરી એમ અનેક હાઉસીંગ સોસાયટીના ટેન્ડરો બહાર પાડી દીધા છે, જયારે અનેક ઈચ્છુંક સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જવા માંગે છે, તેઓને અભિમન્યુંના સાત કોઠા પાર પાડવા કરતા અઘરી સિસ્ટમ ફોલો કરવી પડે છે, તાજેતરમાં અમોને ધ્યાને આવ્યું એકાદ-બે સોસાયટીમાં સંમતિ લેવાની પ્રક્રિયામાં પેપર વર્ક એટલું જટિલ, અઘરુ અને લાંબુલચાક કર્યુ છે, જેના કારણે રિડેવલપમેન્ટમાં રસ ધરાવતા સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓને સંમતિ જમા કરાવે એ પહેલા ધોળે દિવસે તારા દેખાવવા લાગે છે.

આ ઉપરાંત જયાં રિડેવલપમેન્ટનું કામ અંતિમ તબક્કામાં છે અથવા તો પૂર્ણ થઈ ગયું છે એવા એકાદ કિસ્સામાં કલમના જાેરે પાવર જે છે એમની પાસે, જેનાથી ભ્રષ્ટાચાર પણ ફાલ્યો છે. જાે અધિકારીને કોઈ વાતે માઠું લાગે એટલે શેરો કરી દેવાનો ખરો ખોટો પછી ભલે પબ્લિક કે બિલ્ડર હેરાન થાય. ઉપરાંત ટેન્ડરે ટેન્ડરે અધિકારીઓના સ્ટેટમેન્ટ અને વ્યાખ્યાઓ બદલાય છે. અધિકારીઓનું કેટલાક બિલ્ડર્સ માટે મન ઉદાર તો કેટલાક માટે સંકુચિત થઈ જાય છે આવા ભેદભાવ કેમ? જૂના ટેન્ડર્સ વર્ષો સુધી ખેંચ્યા કરતા ફરીથી ટેન્ડર કેમ નથી પાડતા?

આ ઉપરાંત કોઈ સોસાયટી શરૂઆતમાં માહિતી લેવા જાય જાે તેને દરેક સ્ટેપ યોગ્ય રીતે સમજાવવામાં આવે તો કામ ઝડપી અને સરળ થાય પણ તેમ ના કરતા વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે. ત્યારે આવા અનેક પ્રશ્નો પ્રજામાં ગોટાયા કરે છે અને પ્રજા મજબૂર છે અધિકારી રાજમાં હેરાન થવા, જે પ્રજા વાસ્તવમાં દેશની રાજા છે તે પોતાના અધિકાર અને હક્ક માટે સરકારી નોકરો સામે આજીજી કરે છે.

લોકશાહીની આ કડવી વેદના છે જેમાં પ્રજાને મુરખ બનાવમાં આવી રહી છે. સરકારે પીપીપી ધોરણમાં કોઈ એક ચોક્કસ વ્યક્તિને રિડેવલપમેન્ટના સરળીકરણ માટે નિયુક્ત કરવા જાેઈયે તો અને તો જ રિડેવલપમેન્ટ ઝડપી થશે બાકી વર્તમાન કાર્યપદ્ધતિથી કામ થતું રહેશે તો રિડેવલપમેન્ટ પ્રક્રિયા ચક્રવ્યૂહના સાત કોઠા સાધવા જેવી થઈ જશે અને અધિકારીઓની 2-3 પેઢી પણ ગુજરાતમાં રિડેવલપમેન્ટ ઝડપી કરી શકશે નહિ અને લોકો મજબૂરીમાં જર્જરિત મકાનમાં ભયભીત રહી મરતા રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...