Saturday, February 28, 2026

શું સરકાર ખરેખર રિડેવલપમેન્ટ ઈચ્છે છે? રિડેવલપમેન્ટ પોલીસી અને અમલીકરણના મુદ્દે અનેક સવાલો !!

spot_img
Share

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં અમદાવાદ સહિત અનેક નાના મોટા શહેરોમાં જૂની ફ્લેટ ટાઈપની સોસાયટીઓમાં ઠેર ઠેર બ્લોક ધસી પડવાના કે છત કે સ્લેબ પડી જવાના બનાવો બની રહ્યા છે પછી તે પબ્લિક સોસાયટી હોય કે પ્રાઈવેટ સોસાયટી. ક્યાંક નાની ઈજાઓ થઈ તો ક્યાંક જાનહાનિ પણ થઈ હોવાના અહેવાલો અવારનવાર પ્રકાશિત થતા હોય છે.પરંતુ જાેવા જઈએ તો આ સમસ્યા સમાધાન રૂપ રિડેવલપમેન્ટમાં કોઈ ગતિ નથી, લાગે છે સરકાર પણ ગોકળગતીથી જ રિડેવલપમેન્ટ પોલીસીને આગળ વધારવા માંગે છે અથવા તો સરકારને રિડેવલપમેન્ટના કામમાં કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે પ્રાઈવેટ (ખાનગી) સોસાયટીઓમાં ફક્ત અમદાવાદ શહેરમાં અનેક સોસાયટીઓમાં બે-ત્રણ સભ્યોને કારણે સમગ્ર રિડેવલપમેન્ટની કામગીરી અટકે છે જેને કારણે બહુમતી સભ્યોને હેરાન થવું પડી રહ્યું છે. આમ પેપર વર્ક અને દરેક સોસાયટીને નામદાર હાઈકોર્ટમાંથી અસંમત સભ્યોના મકાન ખાલી કરાવવાનો ઓર્ડર લાવવો પડે છે.

પબ્લિક હાઉસિંગ એટલે હાઉસીંગ બોર્ડની સોસાયટીમાં બાબુશાહી રાજ ચાલે છે, વર્ષોથી કેટલાય ટેન્ડર પડેલા છે પણ તે ટેન્ડરની કાર્યવાહી આગળ વધતી જ નથી, જાણે કે ગ્રહણ લાગી ગયું હોય. કેટલીક સોસાયટીઓમાં રહીશો રસ ધરાવતા હોવા છતા સોસાયટીના આગેવાનોની અંદરોઅંદરની લડાઈને કારણે સમગ્ર રિડેવલપમેન્ટની કામગીરી અટકે છે, છેવટે હાઉસીંગના રહીશોને ભોગવવાનું આવી રહ્યું છે.

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પેપર પર અનેક ટેન્ડર પ્રકાશિત કરી દીધા છે અને અનેક સોસાયટીઓમાં બિલ્ડરની પણ નિમણંુક થઈ ગયા છે પણ જાણે બિલ્ડર્સએ પોતાનો કોઈ સોસાયટી પર થપ્પો કરી લીધો હોય અને વર્ષો સુધી તેમાં રિડેવલપમેન્ટ પ્રક્રિયા ખોરંભે જ પડેલી રાખે છે. જેમાં અધિકારીઓની પણ સાંઠગાંઠ હોવાની પૂરી આશંકા છે, નહિતર ટેન્ડર મર્યાદાઓનું કોઈ પાલન આવા કેસોમાં થતું નથી. જ્યારે કેટલીક સોસાયટીઓમાં અધિકારીઓ ટેન્ડર અને તેના નીતિ નિયમો બતાવી સોસાયટી સભ્યો, એસોસિયેશન કે બિલ્ડરને ડરાવવાનો પ્રયાસ કરતા હોય છે, આમ હાઉસીંગ બોર્ડની ડબલ સ્ટાન્ડર્ડ જેવી બેધારી નીતિને કારણે આખરે નિર્દાેષ રહીશોને ભોગવવાનું આવે છે.

અગાઉ વાત કરી એમ અનેક હાઉસીંગ સોસાયટીના ટેન્ડરો બહાર પાડી દીધા છે, જયારે અનેક ઈચ્છુંક સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જવા માંગે છે, તેઓને અભિમન્યુંના સાત કોઠા પાર પાડવા કરતા અઘરી સિસ્ટમ ફોલો કરવી પડે છે, તાજેતરમાં અમોને ધ્યાને આવ્યું એકાદ-બે સોસાયટીમાં સંમતિ લેવાની પ્રક્રિયામાં પેપર વર્ક એટલું જટિલ, અઘરુ અને લાંબુલચાક કર્યુ છે, જેના કારણે રિડેવલપમેન્ટમાં રસ ધરાવતા સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓને સંમતિ જમા કરાવે એ પહેલા ધોળે દિવસે તારા દેખાવવા લાગે છે.

આ ઉપરાંત જયાં રિડેવલપમેન્ટનું કામ અંતિમ તબક્કામાં છે અથવા તો પૂર્ણ થઈ ગયું છે એવા એકાદ કિસ્સામાં કલમના જાેરે પાવર જે છે એમની પાસે, જેનાથી ભ્રષ્ટાચાર પણ ફાલ્યો છે. જાે અધિકારીને કોઈ વાતે માઠું લાગે એટલે શેરો કરી દેવાનો ખરો ખોટો પછી ભલે પબ્લિક કે બિલ્ડર હેરાન થાય. ઉપરાંત ટેન્ડરે ટેન્ડરે અધિકારીઓના સ્ટેટમેન્ટ અને વ્યાખ્યાઓ બદલાય છે. અધિકારીઓનું કેટલાક બિલ્ડર્સ માટે મન ઉદાર તો કેટલાક માટે સંકુચિત થઈ જાય છે આવા ભેદભાવ કેમ? જૂના ટેન્ડર્સ વર્ષો સુધી ખેંચ્યા કરતા ફરીથી ટેન્ડર કેમ નથી પાડતા?

આ ઉપરાંત કોઈ સોસાયટી શરૂઆતમાં માહિતી લેવા જાય જાે તેને દરેક સ્ટેપ યોગ્ય રીતે સમજાવવામાં આવે તો કામ ઝડપી અને સરળ થાય પણ તેમ ના કરતા વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે. ત્યારે આવા અનેક પ્રશ્નો પ્રજામાં ગોટાયા કરે છે અને પ્રજા મજબૂર છે અધિકારી રાજમાં હેરાન થવા, જે પ્રજા વાસ્તવમાં દેશની રાજા છે તે પોતાના અધિકાર અને હક્ક માટે સરકારી નોકરો સામે આજીજી કરે છે.

લોકશાહીની આ કડવી વેદના છે જેમાં પ્રજાને મુરખ બનાવમાં આવી રહી છે. સરકારે પીપીપી ધોરણમાં કોઈ એક ચોક્કસ વ્યક્તિને રિડેવલપમેન્ટના સરળીકરણ માટે નિયુક્ત કરવા જાેઈયે તો અને તો જ રિડેવલપમેન્ટ ઝડપી થશે બાકી વર્તમાન કાર્યપદ્ધતિથી કામ થતું રહેશે તો રિડેવલપમેન્ટ પ્રક્રિયા ચક્રવ્યૂહના સાત કોઠા સાધવા જેવી થઈ જશે અને અધિકારીઓની 2-3 પેઢી પણ ગુજરાતમાં રિડેવલપમેન્ટ ઝડપી કરી શકશે નહિ અને લોકો મજબૂરીમાં જર્જરિત મકાનમાં ભયભીત રહી મરતા રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...