Wednesday, March 11, 2026

અમદાવાદમાં ફિલ્મોને ટક્કર મારે એવો કિસ્સો, પુત્રએ 22 વર્ષ બાદ પિતાની હત્યાનો બદલો લીધો

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ફિલ્મોને ટક્કર મારે એવો બદલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પિતાની હત્યાનો બદલો યુવકે 22 વર્ષે લીધો હોવાની ઘટના સામે આવી છે. રાજસ્થાનના યુવકે પિતાની હત્યા કરનાર વૃદ્ધને અમદાવાદમાં અકસ્માત કરી મોતને ઘાટ ઉતાર્યા હોવાનો ખુલાસો થયો છે. જોકે, આ મામલે એન ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધી બોલેરો ચાલકની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 1 ઓક્ટોબરના રોજ બોડકદેવ જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ પાસે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ થલતેજ ટાઇટેનિયમ સ્ક્વેર ખાતે રહેતા નખતસિંહ ભાટી સાઇકલ લઇને પસાર થતા હતા. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે બોલેરો કારના ચાલકે તેમને ટક્કર મારી અકસ્માત કર્યો હતો. જેમાં તખતસિંહનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીસના આધારે ગોપાલસિંહ હરીસિંહ ભાટી (ઉ.વ.30) (રહે. રાજપૂત વાસ, ગામ- અજાસર, તા- પોખરણ, જિ- જૈસલમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. આરોપીની કડક પૂછપરછ કરતા ગોપાલસિંહ ભાટીએ બોલેરો કાર નખતસિંહને મારી નાખવાના ઇરાદે પૂરઝડપે ચલાવી સાઇકલને પાછળથી ટક્કર મારી ઉપર ચડાવી દીધી હતી. જોકે, પોલીસે આ મામલે મૃતક તખતસિંહ અને આરોપી ગોપાલસિંહ વચ્ચે જુની અદાવતને લઇ આરોપીએ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.

સમગ્ર મામલે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક અને આરોપી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અદાવત ચાલતી હતી. વર્ષ 2002માં મૃતક નખતસિંહ ભાટીએ રાજસ્થાનમાં બોલેરો ચાલક ગોપાલ સિંહ ભાટીના પિતાની હત્યા કરી હતી. ત્યારથી બંને વચ્ચે અદાવત ચાલતી હતી. જેમાં 22 વર્ષે ગોપાલ સિંહે પિતાની હત્યાનો બદલો લીધો છે. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માતની તપાસ દરમિયાન મોટી સફળતા હાથ લાગી છે. હાલ બોડકદેવ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ અને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...