Wednesday, March 4, 2026

અમદાવાદના નરોડામાં હિટ એન્ડ રન, રોંગ સાઇડ આવતી કારે વૃદ્ધને 10 ફૂટ ઉછાળી 20 ફૂટ દૂર ફેંક્યા

spot_img
Share

અમદાવાદ : છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સહિત અમદાવાદમાં પણ હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થયો છે.અમદાવાદના નરોડામાં 9 ઓક્ટોબરે હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં અકસ્માતનો બોગ બનેલા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનામાં બસ સ્ટેન્ડ પાસે બસની રાહ જોઈ રહેલા એક વૃદ્ધને રોંગ સાઇડથી પુરપાટ આવતી કારે ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે વૃદ્ધ વ્યક્તિ લગભગ 10 ફૂટ ઉછળીને 20 ફૂટ દૂર પડ્યા હતા. આ સાથે કારે સામે ઉભેલી રિક્ષાને પણ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નરોડા-દહેગામ રોડ પર શિવધારા કેમ્પસમાં રહેતા 71 વર્ષીય નટવરલાલ પ્રજાપતિ નોકરીએ જવા માટે નીકળ્યા હતા. ઘરની બહાર બિલાસિયા બસ સ્ટેન્ડ પાસે તેઓ ઊભા હતા. ત્યારે નરોડા-દહેગામ તરફથી બે ગાડી પૂરઝડપે રોંગ સાઇડમાં આવી હતી. ગાડીના ચાલકે નટવરલાલને ટક્કર મારતાં તેઓ હવામાં ફંગોળાઇને ત્યાં પડેલી પેસેન્જર રિક્ષા પર પડ્યા હતા. તેમના માથામાં ગંભીર ઇજાઓને કારણે નટવરલાલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતું. આ મામલે જી ડિવિઝન ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ ઘટના બાદ લોકોમાં એવી ચર્ચા છે કે અકસ્માત સર્જનાર કાળા કલરની કાર પૂરપાટ ઝડપે દારૂ ભરેલી કારનો પીછો કરી રહી હતી. આ દરમિયાન સ્પીડ પર કાબૂ નહીં રાખવાના કારણે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. કારની સ્પીડ એટલી હતી કે અકસ્માત દરમિયાન મૃતક 10 ફૂટ કૂદીને 20 ફૂટ દૂર પડ્યો હતો.

દારૂ પકડવા માટે એક નિર્દોષની હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. પોલીસ હવે તે દિશામાં તપાસ કરી રહી છે. આ અંગે ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું કે આ ઘટનામાં ડ્રાઈવર કોણ હતો તે જાણવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં સામેલ કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. અમારી ટીમ ડ્રાઈવરની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...