Sunday, January 25, 2026

અમદાવાદના નરોડામાં હિટ એન્ડ રન, રોંગ સાઇડ આવતી કારે વૃદ્ધને 10 ફૂટ ઉછાળી 20 ફૂટ દૂર ફેંક્યા

spot_img
Share

અમદાવાદ : છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સહિત અમદાવાદમાં પણ હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થયો છે.અમદાવાદના નરોડામાં 9 ઓક્ટોબરે હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં અકસ્માતનો બોગ બનેલા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનામાં બસ સ્ટેન્ડ પાસે બસની રાહ જોઈ રહેલા એક વૃદ્ધને રોંગ સાઇડથી પુરપાટ આવતી કારે ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે વૃદ્ધ વ્યક્તિ લગભગ 10 ફૂટ ઉછળીને 20 ફૂટ દૂર પડ્યા હતા. આ સાથે કારે સામે ઉભેલી રિક્ષાને પણ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નરોડા-દહેગામ રોડ પર શિવધારા કેમ્પસમાં રહેતા 71 વર્ષીય નટવરલાલ પ્રજાપતિ નોકરીએ જવા માટે નીકળ્યા હતા. ઘરની બહાર બિલાસિયા બસ સ્ટેન્ડ પાસે તેઓ ઊભા હતા. ત્યારે નરોડા-દહેગામ તરફથી બે ગાડી પૂરઝડપે રોંગ સાઇડમાં આવી હતી. ગાડીના ચાલકે નટવરલાલને ટક્કર મારતાં તેઓ હવામાં ફંગોળાઇને ત્યાં પડેલી પેસેન્જર રિક્ષા પર પડ્યા હતા. તેમના માથામાં ગંભીર ઇજાઓને કારણે નટવરલાલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતું. આ મામલે જી ડિવિઝન ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ ઘટના બાદ લોકોમાં એવી ચર્ચા છે કે અકસ્માત સર્જનાર કાળા કલરની કાર પૂરપાટ ઝડપે દારૂ ભરેલી કારનો પીછો કરી રહી હતી. આ દરમિયાન સ્પીડ પર કાબૂ નહીં રાખવાના કારણે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. કારની સ્પીડ એટલી હતી કે અકસ્માત દરમિયાન મૃતક 10 ફૂટ કૂદીને 20 ફૂટ દૂર પડ્યો હતો.

દારૂ પકડવા માટે એક નિર્દોષની હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. પોલીસ હવે તે દિશામાં તપાસ કરી રહી છે. આ અંગે ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું કે આ ઘટનામાં ડ્રાઈવર કોણ હતો તે જાણવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં સામેલ કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. અમારી ટીમ ડ્રાઈવરની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...