Friday, March 20, 2026

અમદાવાદમાં આ રસ્તાઓ બંધ રહેશે, બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ કારણે રુટ બંધ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં આગામી દિવસોમાં બુલેટ ટ્રેનના કામગીરીના ભાગરૂપે માર્ગ બંધ કરવામાં આવનાર હોઇ આ અંગે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ. જેમાં જણાવ્યા પ્રમાણે અમદાવાદ શહેરમાં ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ઈસનપુરથી વટવા જી.આઈ.ડી.સી. વચ્ચે આવતો પુનિતનગર રેલ્વે ક્રોસીંગ ઉપર અગાઉ બુલેટ ટ્રેનના પીલ્લર ઉભા કરવામાં આવેલા હતા. જે પીલ્લર ઉપર સેગમેન્ટ લગાવવાનું કામકાજ કરવામાં આવનાર છે. જે કામગીરી અનુસંધાને પુનિતનગર રેલ્વે ક્રોસીંગ તા.18/10/2024 થી તા.28/10/2024 સુધીના સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવશે.

દસ દિવસ દરમિયાન આ માર્ગ બંધ રહેવાને કારણે તે સ્થળ ઉપર ટ્રાફિકજામ ન થાય તે માટે ટ્રાફિક ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યો છે. જેથી ઇસનપુર થી વટવા GIDC જવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે વાહન ચાલકો વિવિધ ત્રણ રૂટનો ઉપયોગ કરી શકશે. જેમાં વટવા GIDC તરફથી આવતો ટ્રાફિક બોમ્બે કંડકટર રોડ દેવીમાં ત્રણ રસ્તા થઇ જમણી બાજુ વળી જશોદાનગર પાર્ટી પ્લોટ ચાર રસ્તા (જુની રબારી વસાહત) થઇ ડાબી બાજુ વળી જશોદાનગર પાટીયા ત્રણ રસ્તા થઇ જશોદાનગર ફ્લાય ઓવરબ્રીજનો ઉપયોગ કરી હાટકેશ્વર તરફ જુદા જુદા માર્ગનો ઉપયોગ કરી અવર-જવર કરી શકાશે.

બીજો માર્ગ જશોદાનગર પાટીયાથી આવતો ટ્રાફિક ડાબી બાજુ વળી બ્રીજની બાજુના સર્વિસ રોડનો ઉપયોગ કરી જશોદાનગર ચાર રસ્તા થઇ ઘોડાસર ચાર રસ્તા થઇ ડાબી બાજુ વળી સ્મૃતિ મંદીર પોલીસ ચોકી Rays Cricket Club ના સામેના ત્રણ રસ્તા થઈ પુનિતનગર તરફ અલગ અલગ માર્ગે અવર-જવર કરી શકાશે. અને વટવા, ઇસનપુર, દુર્ગાનગર તરફથી આવતો ટ્રાફિક GIDC વટવા તરફ જવા માટે સદભાવના પોલીસ ચોકી થઈ નારોલ-વટવા ફ્લાય ઓવર બ્રીજનો ઉપયોગ કરી વટવા GIDC તરફ અલગ-અલગ મુખ્ય માર્ગ તરફ જઇ શકશે.

આ ઉપરાંત અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત તા.16/10/24 થી 10/10/24 સુધીના સમયગાળા માટે નીચે દર્શાવેલ માર્ગ બંધ કરવામાં આવશે.કલગી તરફના છેડાથી પાલડી તરફના છેડા સુધીનો આશરે 400 મીટર સુધીનો એક તરફનો માર્ગ વાહન વ્યવહારની અવરજવર માટે બંધ રહેશે.પાલડી વાસણા તરફથી આવતો ટ્રાફિક અંડરપાસનો એકબાજુનો રોડ ચાલુ રાખવામાં આવનાર છે, તેનો ઉપયોગ કરી અલગ અલગ માર્ગો તરફ જઈ શકાશે. આંબાવાડી, લો ગાર્ડન, કલગી વગેરે આજુબાજુનો ટ્રાફિક અંડરપાસનો એકબાજુનો રોડ ચાલુ રાખવામાં આવનાર છે, તેનો ઉપયોગ કરી અલગ અલગ માર્ગો તરફ જઈ શકાશે.

ત્યારે આ ટ્રાફિક ડાયવર્ઝન રૂટની બાબતે આ માહિતીને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સોશિયલ મીડિયોમાં શેર કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...