Thursday, January 15, 2026

અમદાવાદમાં આ રસ્તાઓ બંધ રહેશે, બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ કારણે રુટ બંધ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં આગામી દિવસોમાં બુલેટ ટ્રેનના કામગીરીના ભાગરૂપે માર્ગ બંધ કરવામાં આવનાર હોઇ આ અંગે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ. જેમાં જણાવ્યા પ્રમાણે અમદાવાદ શહેરમાં ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ઈસનપુરથી વટવા જી.આઈ.ડી.સી. વચ્ચે આવતો પુનિતનગર રેલ્વે ક્રોસીંગ ઉપર અગાઉ બુલેટ ટ્રેનના પીલ્લર ઉભા કરવામાં આવેલા હતા. જે પીલ્લર ઉપર સેગમેન્ટ લગાવવાનું કામકાજ કરવામાં આવનાર છે. જે કામગીરી અનુસંધાને પુનિતનગર રેલ્વે ક્રોસીંગ તા.18/10/2024 થી તા.28/10/2024 સુધીના સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવશે.

દસ દિવસ દરમિયાન આ માર્ગ બંધ રહેવાને કારણે તે સ્થળ ઉપર ટ્રાફિકજામ ન થાય તે માટે ટ્રાફિક ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યો છે. જેથી ઇસનપુર થી વટવા GIDC જવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે વાહન ચાલકો વિવિધ ત્રણ રૂટનો ઉપયોગ કરી શકશે. જેમાં વટવા GIDC તરફથી આવતો ટ્રાફિક બોમ્બે કંડકટર રોડ દેવીમાં ત્રણ રસ્તા થઇ જમણી બાજુ વળી જશોદાનગર પાર્ટી પ્લોટ ચાર રસ્તા (જુની રબારી વસાહત) થઇ ડાબી બાજુ વળી જશોદાનગર પાટીયા ત્રણ રસ્તા થઇ જશોદાનગર ફ્લાય ઓવરબ્રીજનો ઉપયોગ કરી હાટકેશ્વર તરફ જુદા જુદા માર્ગનો ઉપયોગ કરી અવર-જવર કરી શકાશે.

બીજો માર્ગ જશોદાનગર પાટીયાથી આવતો ટ્રાફિક ડાબી બાજુ વળી બ્રીજની બાજુના સર્વિસ રોડનો ઉપયોગ કરી જશોદાનગર ચાર રસ્તા થઇ ઘોડાસર ચાર રસ્તા થઇ ડાબી બાજુ વળી સ્મૃતિ મંદીર પોલીસ ચોકી Rays Cricket Club ના સામેના ત્રણ રસ્તા થઈ પુનિતનગર તરફ અલગ અલગ માર્ગે અવર-જવર કરી શકાશે. અને વટવા, ઇસનપુર, દુર્ગાનગર તરફથી આવતો ટ્રાફિક GIDC વટવા તરફ જવા માટે સદભાવના પોલીસ ચોકી થઈ નારોલ-વટવા ફ્લાય ઓવર બ્રીજનો ઉપયોગ કરી વટવા GIDC તરફ અલગ-અલગ મુખ્ય માર્ગ તરફ જઇ શકશે.

આ ઉપરાંત અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત તા.16/10/24 થી 10/10/24 સુધીના સમયગાળા માટે નીચે દર્શાવેલ માર્ગ બંધ કરવામાં આવશે.કલગી તરફના છેડાથી પાલડી તરફના છેડા સુધીનો આશરે 400 મીટર સુધીનો એક તરફનો માર્ગ વાહન વ્યવહારની અવરજવર માટે બંધ રહેશે.પાલડી વાસણા તરફથી આવતો ટ્રાફિક અંડરપાસનો એકબાજુનો રોડ ચાલુ રાખવામાં આવનાર છે, તેનો ઉપયોગ કરી અલગ અલગ માર્ગો તરફ જઈ શકાશે. આંબાવાડી, લો ગાર્ડન, કલગી વગેરે આજુબાજુનો ટ્રાફિક અંડરપાસનો એકબાજુનો રોડ ચાલુ રાખવામાં આવનાર છે, તેનો ઉપયોગ કરી અલગ અલગ માર્ગો તરફ જઈ શકાશે.

ત્યારે આ ટ્રાફિક ડાયવર્ઝન રૂટની બાબતે આ માહિતીને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સોશિયલ મીડિયોમાં શેર કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...