Friday, March 13, 2026

અમદાવાદમાં ગાર્ડનમાં ફરવા જવાનો ડબલ ચાર્જ, રિવરફ્રન્ટના ચાર ગાર્ડનની ફીમાં બારોબાર વધારો, જુઓ કેટલો

spot_img
Share

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હંમેશા અમદાવાદના લોકો માટે પસંદગીનું સ્થળ રહ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ દ્વારા લોકોના આનંદ માટે ઘણી જાહેર મનોરંજનની સુવિધાઓ બનાવવામાં આવી છે.પરંતુ આને પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સત્તાધીશોએ કમાણીનું સાધન બનાવી દીધા છે.સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એકાએક પાછલા બારણે ચારે રિવરફ્રન્ટ પાર્કની ફીમાં બે ગણો વધારો કરી દેવાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના રિવરફ્રન્ટનાં ગાર્ડનની ફીમાં તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે.ગાર્ડનમાં એન્ટ્રી ફી ડબલ કરી દેવામાં આવી છે. બાર વરસની ઉપરની વ્યક્તિની ટીકીટ 10 રૂપિયાથી વધારી 20 રૂપિયા કરી દેવાઇ છે. જ્યારે 12 વર્ષથી નીચેની વ્યક્તિ માટે 5 રૂપિયાથી વધારી 10 રૂપિયા ફી કરવામાં આવી છે.સાબરમતી રિવરફ્રન્ટની કમિટીમાં મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના સત્તાધીશોએ પાછલા બારણે કરવામાં આવેલા ભાવ વધારાને મંજૂરી આપી દીધી છે, જેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેથી હવે બગીચામાં ફરવા જવા માટે પણ રૂ.20નો ચાર્જ ચૂકવવો પડશે.

રિવરફ્રન્ટ પર આવેલા અટલ ફૂટ ઓવરબ્રિજ અને ફલાવર પાર્કમાં પણ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. સિનિયર સિટીઝન, બાળકો અને 12 વર્ષથી ઉપરના દરેકના ચાર્જમાં વધારો કરાયો છે. અટલ ફૂટ ઓવરબ્રિજમાં 12 વર્ષથી ઉપરના માટે રૂ. 30ની જગ્યાએ રૂ.50 અને ફલાવર પાર્કના રૂ.20ની જગ્યાએ રૂ. 40 ચાર્જ કરવામાં આવ્યો છે. અટલ ફૂટ ઓવરબ્રિજ અને ફલાવર પાર્ક બંનેમાં રૂ. 40ની જગ્યાએ હવે રૂ.70 કરવામાં આવ્યો છે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની 21-09-2024ના રોજ યોજાયેલ પ્રોજેક્ટ કમિટી તેમજ તારીખ 15/10/2024ના રોજ યોજાયેલી બોર્ડ મિટિંગ અંતર્ગત આ ટિકિટના દરમાં નજીવો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...