Thursday, March 5, 2026

અમદાવાદમાં ટોક ઓફ ધ ટાઉન, કુખ્યાત ધમા બારડ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ, જેલમાં ધકેલાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગલી-ગલીના ટપોરીઓ પોતાની જાતને ડોન સમજી બેઠા છે, જેમની શાન ઠેકાણે લાવવાનું કામ માત્રને માત્ર પોલીસનું છે. પૂર્વ વિસ્તારમાં 26 ગુનામાં સંડોવાયેલા આરોપી ધમા બારડ વિરૂદ્ધ પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (ગુજસીટોક)નું શસ્ત્ર ઉગામ્યુ છે. મોડીરાતે ધમા બારડ વિરૂદ્ધ કૃષ્ણનગર પોલીસ ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને તેને સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો છે.ગુજસીટોક હેથળ વધુમાં વધુ 10 વર્ષ અને આજીવન કેદની સજા થઈ શકે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી આ ઘટનામાં આ ઘટનામાં એલસીબીએ ધમા બારડની ધરપકડ કરીને જેલ ભેગો કર્યો હતો અને તેના વિરૂદ્ધ ગુજસીટોક દાખલ કરવા માટે રાજ્ય સરકારની મંજુરી માંગી હતી. ધમા બારડની ધરપકડ કર્યા બાદ પોલીસ તેની અદભુત રીતે ખાતીરદારી કરી હતી અને બાદમાં તેનુ જુલુસ પણ નીકળ્યુ હતું. પોલીસની કાર્યવાહી બાદ કૃષ્ણનગર તેમજ નરોડા વિસ્તારમાં આતંક મચાવનાર ધમા બારડ પોલીસ સામે હાથ જોડતો નજરે પડ્યો હતો.

ધર્મેન્દ્રસિંહ ઉર્ફ ધમા બારડ નર્મદા જિલ્લામાં છુપાયો હોવાની બાતમીના આધારે ઝોન ચાર લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB)ની ટીમ નર્મદા પહોંચી હતી અને કેવડિયા ખાતે એક હોટલમાં સંતાયેલા ધમા બારડને ઝડપી પાડ્યો હતો. કૃષ્ણનગર પોલીસે ધમા બારડને સાથે રાખીને ઘટનાની શરૂઆતથી અંત સુધીની જગ્યાઓ પર લઇ જઇને સમગ્ર ઘટનાનું રિકસ્ટ્રક્શન કર્યું હતું. જેમાં ધમા બારડ કૃષ્ણનગર પોલીસ આગળ ઘૂંટણીયે પડ્યો હતો, તેમજ સમગ્ર વિસ્તારની અંદર હાથ જોડીને માફી માંગતો પણ જોવા મળ્યો હતો. ધમા બારડે પોતાના કરેલા ગુનાની પણ લોકો સામે માફી માંગી હતી.

ધમા બારડની દાદાગીરીથી પોલીસ પણ ત્રાહીમામ પોકારી ગઇ હતી અને સ્થાનિકોમાં પણ તેની દહેશત દિવસને દિવસે વધી રહી હતી. ધમા બારડ વિરૂદ્ધ એકાદ બે નહી પરંતુ 26થી વધુ ગુનો નોંધાયા છે. જેમાં હત્યાની કોશિષ, ફાયરીંગ, ખંડણી સહિતના ગુનાનો સમાવેશ થાય છે. ધમાબારડ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે ધમા બારડ વિરૂદ્ધ ગુજસીટોક દાખલ કરતા પુર્વ વિસ્તારના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...