Wednesday, March 4, 2026

અમદાવાદમાં વેજલપુર પોલીસ સ્ટેશનનો PSI 80 હજારની લાંચ લેતા ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : ACBએ આજે બે અલગ અલગ બનાવમાં AMCના એક કર્મચારી અને વેજલપુર પોલીસ સ્ટેશનના PSIને લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ ગુનામાં ફરિયાદીના પુત્રને માર નહી મારવા બદલ 80 હજાર રૂપિયાની લાંચ લેનારા વેજલપુર પોલીસ સ્ટેશનના PSI એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ધરપકડ કરી છે.આ બનાવની વિગત મુજબ ફરિયાદીના પુત્ર સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક યુવક પર દાખલ થયેલા ગુનામાં તે યુવકને માર નહીં મારવા, ગાળો ન બોલવા અને રિમાન્ડ દરમિયાન હેરાન ન કરવા માટે PSI પ્રગ્નેશકુમાર નવનિતરાય વ્યાસે યુવકના પિતા પાસે રૂ.1 લાખની લાંચ માંગી હતી, જેમાં રૂ.80,000 પહેલા અને બાદમાં રૂ.20,000 આપવા કહ્યું હતું.બીજી તરફ ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે ACB માં ફરિયાદ નોંધાવી હતી.

ટ્રેપિંગ અધિકારી ACB PI આર.આઈ.પરમાર અને સુપર વિઝન અધિકારી ACB અમદાવાદ એકમના ઇન્ચાર્જ મદદનિશ નિયામક એન.એન.જાદવ દ્વારા છટકું ગોઠવી PSI પ્રગ્નેશકુમાર નવનિતરાય વ્યાસને વેજલપુર પોલીસ સ્ટેશનની સામે ભાગ્યોદય હોટલ આગળ જાહેરમાં રૂ.80,000ની લાંચ લેતા પકડી પાડ્યાં છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...