Sunday, January 18, 2026

નવા વર્ષે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું સ્નેહમિલન, ભાજપના કાર્યકર્તાઓ-નાગરિકોનો જમાવડો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની નવા વર્ષની ઉજવણી કરી છે. પરિવાર અને કાર્યકારો સાથે નવા વર્ષની ઉજવણી કરી છે. શાહના નિવાસસ્થાને મોટીસંખ્યામાં નવા વર્ષની ઉજવણી કરી છે. અમિત શાહે તમામ કાર્યકરોનું અભિવાદન ઝીલી શુભકામના પાઠવી છે. તેમજ અમિત શાહની પ્રધાનો, ધારાસભ્યો અને પક્ષના નેતા અને કાર્યકરો સાથે ઉજવણી કરી છે. ભૂપેન્દ્ર પટેલ અમિત શાહને મળી નવા વર્ષની શુભેચ્છાઓ આપી છે.આ ઉપરાંત મુખ્યમંત્રીએ કાર્યકરો સાથે એનેક્ષી શાહીબાગ ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ દર વર્ષની પરંપરા મુજબ વિક્રમ સંવત 2081નો પ્રારંભ થતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત કરી હતી. ત્યારે દિવાળીમાં અમિત શાહે કાર્યકરો અને પાર્ટીના નેતાઓ સહિત નાગરિકોને પણ નવા વર્ષના વધામણા આપ્યા હતા.ભાજપના કાર્યકર્તાઓ અને નાગરિકો થલતેજ ખાતે નિવાસસ્થાને કેન્દ્રીય ગૃહ મંત્રીને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતાં. વ્હીલ ચેર પર શુભેચ્છા પાઠવવા આવેલા કાર્યકર્તાને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત સામેથી શુભેચ્છા પાઠવવા માટે ગયા હતા.

ભાજપના દિગ્ગજ નેતાઓએ અમિત શાહના નિવાસ સ્થાને પહોંચીને કેન્દ્રીય ગૃહમંત્રીએ શુભકામનાઓ આપી હતી. જેમાં સાંસદ દિનેશ મકવાણા, સાંસદ એચ.એસ.પટેલ, રાજ્યસભાના સાંસદ મયંક નાયક, ભાજપ અમદાવાદ સહેર પ્રમુખ અમિત શાહ, પૂર્વ ધારાસભ્યો સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોએ પણ સ્નેહમિલનમાં હાજરી આપી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...