Monday, May 4, 2026

અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં ચોરી, અગત્યના ડોક્યુમેન્ટ ચોરી થવાની આશંકા

spot_img
Share

અમદાવાદ : આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય અમદાવાદ ખાતે તાળાં તોડીને ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય અમદાવાદમાં ચોરી મામલે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ચેમ્બરમાંથી અગત્યના ડોક્યુમેન્ટ ચોરી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આ મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસે તપાસની માંગ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાતના પ્રદેશ કાર્યાલયમાં તાળાં તોડી ચોરી અંગે પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રાજ્ય સરકાર પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રાજકીય પક્ષનું પ્રદેશ કાર્યાલય પણ સલામત નથી. આમ આદમી પાર્ટીની ઓફિસમાં ચોરીનો હેતુ શું હતો ? ગઢવીએ આક્ષેપ કર્યો છે કે ઓફિસમાં ત્રણ તાળા તૂટેલા છે અને તેમની ચેમ્બરમાં ઘૂસીને દસ્તાવેજોની ચોરી થઈ હોવાની શક્યતા છે. આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યાલય અમદાવાદમાં આશ્રમ રોડ પર છે. જે શહેરનો પોશ વિસ્તાર ગણવામાં આવે છે.

આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ ઇસુદાન ગઢવીના જણાવ્યા અનુસાર ચોરીની ઘટના 3 નવેમ્બરે બની હતી.ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, મારી ચેમ્બરના તાળા તોડી એલઇડી ટીવી સહિતના મહત્વના દસ્તાવેજોની ચોરી થયાની આશંકા છે.ગઢવીએ જણાવ્યું હતું કે, આ ચોરી પૈસા માટે નહીં પરંતુ પાર્ટીના મહત્વના દસ્તાવેજો અને ડેટાની ચોરી કરવાના ઈરાદે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

ગઢવીએ કહ્યું કે તેઓ આજે પોલીસમાં એફઆઈઆર નોંધાવશે. ગઢવીએ માંગ કરી હતી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દે કાર્યવાહી કરવી જોઈએ. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને 14 ટકા વોટ મળ્યા હતા. ગુજરાતમાં પ્રદર્શન બાદ જ AAPને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...