Wednesday, January 21, 2026

અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં ચોરી, અગત્યના ડોક્યુમેન્ટ ચોરી થવાની આશંકા

spot_img
Share

અમદાવાદ : આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય અમદાવાદ ખાતે તાળાં તોડીને ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય અમદાવાદમાં ચોરી મામલે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ચેમ્બરમાંથી અગત્યના ડોક્યુમેન્ટ ચોરી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આ મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસે તપાસની માંગ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાતના પ્રદેશ કાર્યાલયમાં તાળાં તોડી ચોરી અંગે પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રાજ્ય સરકાર પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રાજકીય પક્ષનું પ્રદેશ કાર્યાલય પણ સલામત નથી. આમ આદમી પાર્ટીની ઓફિસમાં ચોરીનો હેતુ શું હતો ? ગઢવીએ આક્ષેપ કર્યો છે કે ઓફિસમાં ત્રણ તાળા તૂટેલા છે અને તેમની ચેમ્બરમાં ઘૂસીને દસ્તાવેજોની ચોરી થઈ હોવાની શક્યતા છે. આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યાલય અમદાવાદમાં આશ્રમ રોડ પર છે. જે શહેરનો પોશ વિસ્તાર ગણવામાં આવે છે.

આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ ઇસુદાન ગઢવીના જણાવ્યા અનુસાર ચોરીની ઘટના 3 નવેમ્બરે બની હતી.ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, મારી ચેમ્બરના તાળા તોડી એલઇડી ટીવી સહિતના મહત્વના દસ્તાવેજોની ચોરી થયાની આશંકા છે.ગઢવીએ જણાવ્યું હતું કે, આ ચોરી પૈસા માટે નહીં પરંતુ પાર્ટીના મહત્વના દસ્તાવેજો અને ડેટાની ચોરી કરવાના ઈરાદે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

ગઢવીએ કહ્યું કે તેઓ આજે પોલીસમાં એફઆઈઆર નોંધાવશે. ગઢવીએ માંગ કરી હતી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દે કાર્યવાહી કરવી જોઈએ. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને 14 ટકા વોટ મળ્યા હતા. ગુજરાતમાં પ્રદર્શન બાદ જ AAPને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...