Monday, January 19, 2026

શાળાઓની ગ્રાન્ટમાં 17 વર્ષથી વધારો કરાયો નથી, હવે તો સમજો, સંચાલક મંડળની શિક્ષણ સચિવને રજૂઆત

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે દિવાળી વેકેશન ખૂલે તે પહેલા જ ગ્રાન્ટેડ શાળાઓના પડતર પ્રશ્નો ઉકેલવા સંચાલકોએ માગણી કરી છે. જેમાં ગ્રાન્ટેડ શાળાઓની ગ્રાન્ટના સ્લેબમાં છેલ્લા 17 વર્ષથી વધારો કરાયો નથી. તેથી ગ્રાન્ટના સ્લેબમાં વધારો કરવા તેમજ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, કર્મચારીઓઓના સહિતના વિવિધ પ્રશ્નો ઉકેલવાની પત્ર લખીને માગણી કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ગ્રાન્ટેડ સ્કૂલના ગ્રાન્ટ, નિભાવ ગ્રાન્ટ, એફઆરસી, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ સહિતના અનેક પડતર પ્રશ્નો છે. જેને લઈને શાળા સંચાલક મંડળે શિક્ષણ સચિવને પત્ર લખીને દિવાળી વેક્શન પૂરું થાય ત્યાં સુધી આ તમામ માગ પૂરી કરવા રજૂઆત કરી છે. દિવાળી બાદ આ બધી માગ પૂરી થાય તો શિક્ષણકાર્ય રાબેતા મુજબ ચાલી શકે. રાજ્ય શાળા સંચાલક મહામંડળે એવી રજુઆત કરી છે કે, રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગ્રાન્ટની ચૂકવણી બાકી છે. દિવાળીનો તહેવાર હોવાથી હવે ગ્રાન્ટ મળવી મુશ્કેલ હતી. જેથી તાત્કાલિક ગ્રાન્ટ આપવી જોઈએ. રાજ્યની સ્કૂલોમાં આપવામાં આવતી ગ્રાન્ટના સ્લેબમાં 17 વર્ષથી વધારો કરવામાં આવ્યો નથી. મોઘવારી વધી પરંતુ ગ્રાન્ટના સ્લેબ હજુ વધ્યા નથી. જેથી ગ્રાન્ટનો સ્લેબ વધારવો જોઈએ.

ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળના કહેવા મુજબ ​​​​​​​રાજ્યની ખાનગી સ્કૂલોમાં 2017થી FRC દ્વારા ફીનો સ્લેબ નક્કી કરવામાં આવ્યો છે. 7 ટકા દર વર્ષે ફીમાં વધારો કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. સરકાર દ્વારા રાજ્યની ગ્રાન્ટડ સ્કૂલમાં ફરજ બજાવતા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફના પગાર અને તેઓની આર્થિક રીતે મળતા તમામ લાભ આપવામાં આવ્યા નથી. જે તાત્કાલિક અસરથી આપવામાં આવે. 280 જેટલા કર્મચારીઓની ફાઈલ પ્રમોશન વિના પડી છે તે તમામને પ્રમોશન આપવામાં આવે. દિવાળી વેકેશન પૂર્ણ થતાં સુધીમાં તમામ માગ પૂરી કરવામાં આવે તો વેકેશન પૂર્ણ થતાં શિક્ષણકાર્ય રાબેતા મુજબ ચાલી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...