Wednesday, March 11, 2026

અમદાવાદની સિવિલ હોસ્પિટલને કપિલ દેવના હસ્તે અંગદાન ક્ષેત્રે મળ્યો નામાંકિત FICCI એવોર્ડ,જુઓ Video

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવા વર્ષમાં વધુ એક અંગદાન થયું છે.સિવિલ હોસ્પિટલમાં થયેલા આ 172 માં ગુપ્ત અંગદાનની વાત કરીએ તો તારીખ 6 નવેમ્બર ના રોજ દર્દીને અકસ્માત થતા માથાની ઇજાના કારણે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. આધેડ વયના વ્યક્તિને સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરોએ તારીખ 8 નવેમ્બર ના રોજ બ્રેઇન ડેડ જાહેર કરેલ. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરો તેમજ જાણીતા સ્કીન સ્પેશિયાલિસ્ટ રેખા સોલંકીનાં પ્રયાસોથી દર્દી ના પરીવારજનો અંગદાન કરવા સંમત થયા હતા. આ અંગદાન થી સિવિલ હોસ્પિટલને એક લીવર તેમજ બે કીડનીનું દાન મળ્યું.

સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડો રાકેશ જોષીએ વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી ખાતે 5 નવેમ્બર ના રોજ યોજાયેલ 16માં FICCI એવોર્ડ સમારંભમાં ઓર્ગન ડોનેશનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સિવિલ હોસ્પિટલ અમદાવાદને નામાંકીત ક્રિકેટર કપિલ દેવના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જે સિવિલ હોસ્પિટલ તેમજ રાજ્યના આરોગ્ય વિભાગ માટે ખુબ ગૌરવની વાત છે.આ અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 558 અંગોનું દાન મળેલ છે. જેના દ્વારા 540 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.

આ અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 558 અંગોનું દાન મળેલ છે. જેના થકી 540 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે. આ અંગદાનથી દાનમાં મળેલ બે કિડની તેમજ એક લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 310 કિડની, 149 લીવર, 52 હૃદય, 30 ફેફસા, 9 સ્વાદુપિંડ, 2 નાના આંતરડા, 5 સ્કીન અને 116 આંખોનું દાન મળ્યું છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...