Wednesday, March 11, 2026

શાસ્ત્રીનગર સહિતના વિસ્તારોમાં જાહેર રોડ પર ગંદકી બદલ 21 દુકાનો સીલ કરાઈ

spot_img
Share

અમદાવાદ : સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ અમદાવાદ શહેરને પ્રથમ નંબરે લાવવા માટે સ્વચ્છતા ને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે લોકોને જાહેર રોડ ઉપર કચરો ફેંકીને ગંદકી ન કરવા માટે સમજાવવામાં આવે છે. સ્વચ્છતા ને લઈ પ્રચાર કરવામાં આવે છે છતાં પણ કેટલાક લોકો જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરતા હોય છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં શાસ્ત્રીનગર સહિતના વિસ્તારોમાં પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર રોડ પર ગંદકી કરવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અને આદર્શ સફાઈના અભાવ બદલ 21 દુકાનોને સીલ મારી દીધી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પશ્ચિમ વિસ્તારમાં શાસ્ત્રીનગર સહિતના વિસ્તારોમાં પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર રોડ પર ગંદકી કરવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અને આદર્શ સફાઈના અભાવ બદલ 21 દુકાનોને સીલ મારી દીધી છે. જાહેર માર્ગો પર ગંદકી ફેલાવવા, સ્વચ્છતા ન જાળવવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા એકમો, ડસ્ટબીન નહીં રાખતા એકમો, ચાની લારી, પાનના ગલ્લા, સહિતના એકમોમાં હાથ ધરાયેલી ચેકિંગ ઝુંબેશના ભાગરૂપે 245 એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ગંદકી કરવા બદલ 110 એકમને નોટિસ અપાઈ છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક બે કિલો જેટલું જપ્ત કર્યું છે. કુલ 1.65 લાખ જેટલો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો છે.

AMC દ્વારા ગંદકી કરવા બદલ શાસ્ત્રીનગરમાં સાઉથ ઢોંસા, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર, રિદ્ધિ પાન પાર્લર, સર્વો ગેરેજ, શિવશંકર પાસ્ટ ફુડ, સતગુરૂ ઓટો ગેરેજ, જાગૃતિ મોટર્સ, વિનાયક પેટ્રોલ પંપ, સાંઈબાબા ગ્લાસ એન્ડ એલ્યુમિનિયમ, ક્રિશ્ના પાન પાર્લર, પલ્લવ ચાર રસ્તા ખાતેના આનંદ ભાજીપાઉં, સ્ટેડિયમ ચાર રસ્તા, ચંદ્રનગર શિવ શક્તિ એર કાર્ગો, અંબિકા પ્રોવિઝન સ્ટોરને પ્રતિબંધીત પ્લાસ્ટિક માટે સીલ કરાયા કરાયા છે. સાબરમતી શંકરપુરા પે એન્ડ યુઝ જેનું અખિલ પર્યાવરણ એવમ ગ્રામીણ વિકાસ સ્મશાન દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતા તેને પણ સીલ કરી દેવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...