Tuesday, January 20, 2026

શાસ્ત્રીનગર સહિતના વિસ્તારોમાં જાહેર રોડ પર ગંદકી બદલ 21 દુકાનો સીલ કરાઈ

spot_img
Share

અમદાવાદ : સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ અમદાવાદ શહેરને પ્રથમ નંબરે લાવવા માટે સ્વચ્છતા ને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે લોકોને જાહેર રોડ ઉપર કચરો ફેંકીને ગંદકી ન કરવા માટે સમજાવવામાં આવે છે. સ્વચ્છતા ને લઈ પ્રચાર કરવામાં આવે છે છતાં પણ કેટલાક લોકો જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરતા હોય છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં શાસ્ત્રીનગર સહિતના વિસ્તારોમાં પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર રોડ પર ગંદકી કરવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અને આદર્શ સફાઈના અભાવ બદલ 21 દુકાનોને સીલ મારી દીધી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પશ્ચિમ વિસ્તારમાં શાસ્ત્રીનગર સહિતના વિસ્તારોમાં પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર રોડ પર ગંદકી કરવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અને આદર્શ સફાઈના અભાવ બદલ 21 દુકાનોને સીલ મારી દીધી છે. જાહેર માર્ગો પર ગંદકી ફેલાવવા, સ્વચ્છતા ન જાળવવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા એકમો, ડસ્ટબીન નહીં રાખતા એકમો, ચાની લારી, પાનના ગલ્લા, સહિતના એકમોમાં હાથ ધરાયેલી ચેકિંગ ઝુંબેશના ભાગરૂપે 245 એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ગંદકી કરવા બદલ 110 એકમને નોટિસ અપાઈ છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક બે કિલો જેટલું જપ્ત કર્યું છે. કુલ 1.65 લાખ જેટલો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો છે.

AMC દ્વારા ગંદકી કરવા બદલ શાસ્ત્રીનગરમાં સાઉથ ઢોંસા, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર, રિદ્ધિ પાન પાર્લર, સર્વો ગેરેજ, શિવશંકર પાસ્ટ ફુડ, સતગુરૂ ઓટો ગેરેજ, જાગૃતિ મોટર્સ, વિનાયક પેટ્રોલ પંપ, સાંઈબાબા ગ્લાસ એન્ડ એલ્યુમિનિયમ, ક્રિશ્ના પાન પાર્લર, પલ્લવ ચાર રસ્તા ખાતેના આનંદ ભાજીપાઉં, સ્ટેડિયમ ચાર રસ્તા, ચંદ્રનગર શિવ શક્તિ એર કાર્ગો, અંબિકા પ્રોવિઝન સ્ટોરને પ્રતિબંધીત પ્લાસ્ટિક માટે સીલ કરાયા કરાયા છે. સાબરમતી શંકરપુરા પે એન્ડ યુઝ જેનું અખિલ પર્યાવરણ એવમ ગ્રામીણ વિકાસ સ્મશાન દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતા તેને પણ સીલ કરી દેવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...