Friday, January 23, 2026

અમદાવાદીઓ માટે રાહતના સમાચાર, ઓનલાઈન કરાતી પાણી,ડ્રેનેજ, કેચપીટ અંગેની ફરિયાદ 24 કલાકમાં ઉકેલાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના લોકો દ્વારા રોડ,ગટર અને પાણી સહીતની પ્રાથમિક સુવિધા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોમ્પ્રિહેન્સિવ રીડ્રેસલ સિસ્ટમ હેઠળ ઓનલાઈન ફરિયાદ કરવામાં આવે છે. શહેરીજનો દ્વારા કરવામા આવતી પાણી,ડ્રેનેજ અને કેચપીટને લગતી ફરિયાદ 24 કલાકમાં ઉકેલવા તમામ એડીશનલ સિટી ઈજનેરોને સુચના આપવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત આ પ્રકારની ફરિયાદોનો તંત્ર તરફથી સમયસર નિકાલ થાય એ માટે સ્વચ્છતા એપ ઉપર આ પ્રકારની ફરિયાદ જે તે ઝોન કે વોર્ડકક્ષાના સંબંધિત અધિકારી-કર્મચારીને મોકલાશે.7 જુદા જુદા ઝોનમાં ઓનલાઇન ફરિયાદો પર વિશેષ ધ્યાન આપવા સૂચના અપાઈ છે. તમામ ઝોનના એડિશનલ સિટી ઇજનેર અને સંબંધિત સ્ટાફને સ્વચ્છતા એપ ડાઉનલોડ કરવા સૂચના આપવામાં આવી છે. સીસીઆરએસ માધ્યમથી નાગરિકો દ્વારા રોજબરોજ કરવામાં આવતી ફરિયાદોનો નિકાલ લાવવા પણ સૂચના અપાઈ છે. શહેરીજનો રોજબરોજ સફાઈ,સેનિટેશન ઉપરાંત પાણી,પબ્લિક ટોઈલેટ,ડ્રેનેજ ઓવરફલો,વોટલોગીંગ સહીતની અન્ય પ્રકારની ફરિયાદ નોંધાવતા હોય છે.

નોંધાવવામા આવતી આ પ્રકારની ફરિયાદો નિયત સમયમાં સંબંધિત વિભાગ તરફથી ઉકેલાતી નહીં હોવાથી ઓનલાઈન ફરિયાદની સ્થિતિ કલોઝને બદલે ઓપન જોવા મળે છે. આ પરિસ્થિતને નિવારવા તમામ 48 વોર્ડના સ્ટાફને પણ 24 કલાકમાં આ પ્રકારની ફરિયાદોનો નિકાલ લાવવા સુચના આપવામાં આવી છે.

ખાસ કરીને સફાઈ, સેનિટેશન, પાણી, પબ્લિક ટોઇલેટ, ડ્રેનેજ ઓવરફ્લો અને વોટર લોગિંગ જેવી ફરિયાદોને ક્લોઝ કરવાને બદલે ઉકેલ લાવવા દિશામાં કામ કરવા સૂચના અપાઈ છે. શહેરમાં સંખ્યાબંધ વિસ્તારો એવા છે જ્યાંથી પાયાની સુવિધાઓ અંગે ઓનલાઈન ફરિયાદ થાય છે પરંતુ તેને ક્લોઝ કરી ઉકેલી દેવાયાનું બતાવાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...