Saturday, February 28, 2026

રીડેવલપમેન્ટમાં હાઉસિંગ બોર્ડના આ ટાઈપના મકાનોમાં 50 ચોરસ મીટરની માંગ ઉઠી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાનગીમાં અનેક સોસાયટીઓ રીડેવલપમેન્ટની દિશામાં આગળ વધી રહી છે ત્યારે હાઉસીંગ બોર્ડની અનેક કોલોનીઓમાં છેલ્લાં એકાદ-બે વર્ષાેથી થોડીક જાગૃતિ આવી હોય તેવું જણાઈ રહ્યું છે. પરંતુ આ જાગૃતિ ચોક્કસ પ્રકારની કોલોનીઓમાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે.સરકારની રીડેવલપેન્ટ પોલીસીનો ખરેખર જેને લાભ મળવો જાેઈએ એવી એલઆઈજી અને ઈડબલ્યુએસ ટાઈપના મકાનધારકોને લાભ મળ્યો નથી, જેથી એલઆઈજી અને ઈડબલ્યુએસ ટાઈપના મકાનધારકોને પોલીસી મુજબ વધુમાં વધુ 30 ચોરસ મીટર કાર્પેટ એરિયા મળે છે એના બદલે ૫૦ ચોરસ મીટર મળે તેવી માંગ ઉઠી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2016માં રીડેવલપમેન્ટ પોલીસી લાવી છતાં 2016 થી 2022 સુધી માત્ર આંગળીના વેઢે ગણાય શકાય તેટલી હાઉસીંગ કોલોનીઓ રિડેવલપમેન્ટ પોલીસી જાેડાઈ હતી.પરંતુ છેલ્લાં 2022થી 2025 હાલમાં સુધી અનેક સોસાયટીઓ રીડેવલપમેન્ટ પોલીસી લાભ લઈ અનેક કોલોનીઓ(સોસાયટી) જાેડાઈ ચુકી છે, અનેક સોસાયટીઓ જાેડવવા તત્પર છે, પરંતુ હાઉસિંગ બોર્ડની જર્જરિત એવી અનેક એલઆઈજી અને ઈડબલ્યુએસ ટાઈપની કોલોનીઓ હજુ સુધી રીડેવલપમેન્ટમાં જાેડાઈ નથી કારણ કે એલઆઈજી અને ઈડબલ્યુએસ ટાઈપના મકાનધારકો જેમ કે નારણપુરામાં શ્રીનગર એપાર્ટમેન્ટ, શિવનગર કે નવા વાડજમાં આવેલ હરિઓમ એપાર્ટમેન્ટ અને ગગનવિહાર એપાર્ટમેન્ટ જેવી અનેક હાઉસિંગ બોર્ડની જર્જરિત કોલોનીઓના રહીશો રીડેવલપમેન્ટમાં જાેડાવવા તૈયાર નથી, જેનું મુખ્ય કારણ સરકારની વર્તમાન પોલીસી મુજબ તેઓને 40 ટકા વધુ બાંધકામ અથવા તો વધુમાં વધુ 50 ચોરસ મીટર મળવા પાત્ર છે, પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ મકાનધારકોએ મોટા મોટા બાંધકામ તાણી બેઠા છે, રીડેવલપમેન્ટ બાદ તેઓને વધુમાં 50 ચોરસ મીટર કાર્પેટ એરિયા મળી શકે છે, જેથી એલઆઈજી અને ઈડબલ્યુએસ ટાઈપની અનેક કોલોનીઓ જાેડાવવા તૈયાર નથી.અને આખરે જર્જરિત બાંધકામમાં જીવના જાેખમે વસવા મજબૂર બની રહ્યા છે.

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશભાઈ બારડ જણાવે છે કે હાલની પરિસ્થિતિ અને સંજાેગો અને વિકાસની સાથે આજના સંજાેગોને ધ્યાનમાં રાખી તથા મકાનની ઓછામાં ઓછી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રીડેવલપમેન્ટ યોજનામાં સરકારની સંસ્થાઓ દ્વારા થતું રીડેવલપેમેન્ટ જેમ કે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં રીડેવલપમેન્ટમાં જે કારપેટે એરિયા જુનો જે આપેલો તે સમયની જરૂરિયાત હતી. આજે સમય બદલાઈ ગયો છે એટલે આટલા સમયમાં જ્યારે મકાનોનુ રીડેવલપમેન્ટ થઈ રહ્યું હોય ત્યારે ઓછામાં ઓછું કારપેટ ઍરિયા 50 ચોરસ મીટર આપવું જાેઈએ કે જે હાલમાં પોલીસી પ્રમાણે 30 ચોરસ મીટર છે તે ઘણું જ નાનું મકાન મળે છે. જે રહીશ છેલ્લા 40 થી 50 વર્ષ રહેતો હોય અને આટલા વર્ષો પછી પણ જાે એને રીડેવલપમેન્ટમાં પ્રમાણસર મકાન ના મળે તો તેનો કોઈ અર્થ નથી અને જાે 50 ચોરસ મીટર કારપેટ એરીયા પ્રમાણે મળે તો ઘણી બધી યોજનાઓ તેમાં સફળતાપૂર્વક જાેડાઈ શકે તેમ છે.અમારી સરકારશ્રી અને હાઉસિંગ કમિશનર પાસે અમારી રજૂઆત છે તો ઓછમાં ઓછુ 50 ચોરસ મીટર કારપેટ એરિયા મળવો જાેઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...