Tuesday, October 14, 2025

રીડેવલપમેન્ટમાં હાઉસિંગ બોર્ડના આ ટાઈપના મકાનોમાં 50 ચોરસ મીટરની માંગ ઉઠી

Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાનગીમાં અનેક સોસાયટીઓ રીડેવલપમેન્ટની દિશામાં આગળ વધી રહી છે ત્યારે હાઉસીંગ બોર્ડની અનેક કોલોનીઓમાં છેલ્લાં એકાદ-બે વર્ષાેથી થોડીક જાગૃતિ આવી હોય તેવું જણાઈ રહ્યું છે. પરંતુ આ જાગૃતિ ચોક્કસ પ્રકારની કોલોનીઓમાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે.સરકારની રીડેવલપેન્ટ પોલીસીનો ખરેખર જેને લાભ મળવો જાેઈએ એવી એલઆઈજી અને ઈડબલ્યુએસ ટાઈપના મકાનધારકોને લાભ મળ્યો નથી, જેથી એલઆઈજી અને ઈડબલ્યુએસ ટાઈપના મકાનધારકોને પોલીસી મુજબ વધુમાં વધુ 30 ચોરસ મીટર કાર્પેટ એરિયા મળે છે એના બદલે ૫૦ ચોરસ મીટર મળે તેવી માંગ ઉઠી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2016માં રીડેવલપમેન્ટ પોલીસી લાવી છતાં 2016 થી 2022 સુધી માત્ર આંગળીના વેઢે ગણાય શકાય તેટલી હાઉસીંગ કોલોનીઓ રિડેવલપમેન્ટ પોલીસી જાેડાઈ હતી.પરંતુ છેલ્લાં 2022થી 2025 હાલમાં સુધી અનેક સોસાયટીઓ રીડેવલપમેન્ટ પોલીસી લાભ લઈ અનેક કોલોનીઓ(સોસાયટી) જાેડાઈ ચુકી છે, અનેક સોસાયટીઓ જાેડવવા તત્પર છે, પરંતુ હાઉસિંગ બોર્ડની જર્જરિત એવી અનેક એલઆઈજી અને ઈડબલ્યુએસ ટાઈપની કોલોનીઓ હજુ સુધી રીડેવલપમેન્ટમાં જાેડાઈ નથી કારણ કે એલઆઈજી અને ઈડબલ્યુએસ ટાઈપના મકાનધારકો જેમ કે નારણપુરામાં શ્રીનગર એપાર્ટમેન્ટ, શિવનગર કે નવા વાડજમાં આવેલ હરિઓમ એપાર્ટમેન્ટ અને ગગનવિહાર એપાર્ટમેન્ટ જેવી અનેક હાઉસિંગ બોર્ડની જર્જરિત કોલોનીઓના રહીશો રીડેવલપમેન્ટમાં જાેડાવવા તૈયાર નથી, જેનું મુખ્ય કારણ સરકારની વર્તમાન પોલીસી મુજબ તેઓને 40 ટકા વધુ બાંધકામ અથવા તો વધુમાં વધુ 50 ચોરસ મીટર મળવા પાત્ર છે, પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ મકાનધારકોએ મોટા મોટા બાંધકામ તાણી બેઠા છે, રીડેવલપમેન્ટ બાદ તેઓને વધુમાં 50 ચોરસ મીટર કાર્પેટ એરિયા મળી શકે છે, જેથી એલઆઈજી અને ઈડબલ્યુએસ ટાઈપની અનેક કોલોનીઓ જાેડાવવા તૈયાર નથી.અને આખરે જર્જરિત બાંધકામમાં જીવના જાેખમે વસવા મજબૂર બની રહ્યા છે.

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશભાઈ બારડ જણાવે છે કે હાલની પરિસ્થિતિ અને સંજાેગો અને વિકાસની સાથે આજના સંજાેગોને ધ્યાનમાં રાખી તથા મકાનની ઓછામાં ઓછી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રીડેવલપમેન્ટ યોજનામાં સરકારની સંસ્થાઓ દ્વારા થતું રીડેવલપેમેન્ટ જેમ કે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં રીડેવલપમેન્ટમાં જે કારપેટે એરિયા જુનો જે આપેલો તે સમયની જરૂરિયાત હતી. આજે સમય બદલાઈ ગયો છે એટલે આટલા સમયમાં જ્યારે મકાનોનુ રીડેવલપમેન્ટ થઈ રહ્યું હોય ત્યારે ઓછામાં ઓછું કારપેટ ઍરિયા 50 ચોરસ મીટર આપવું જાેઈએ કે જે હાલમાં પોલીસી પ્રમાણે 30 ચોરસ મીટર છે તે ઘણું જ નાનું મકાન મળે છે. જે રહીશ છેલ્લા 40 થી 50 વર્ષ રહેતો હોય અને આટલા વર્ષો પછી પણ જાે એને રીડેવલપમેન્ટમાં પ્રમાણસર મકાન ના મળે તો તેનો કોઈ અર્થ નથી અને જાે 50 ચોરસ મીટર કારપેટ એરીયા પ્રમાણે મળે તો ઘણી બધી યોજનાઓ તેમાં સફળતાપૂર્વક જાેડાઈ શકે તેમ છે.અમારી સરકારશ્રી અને હાઉસિંગ કમિશનર પાસે અમારી રજૂઆત છે તો ઓછમાં ઓછુ 50 ચોરસ મીટર કારપેટ એરિયા મળવો જાેઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...