30.3 C
Gujarat
Wednesday, October 23, 2024

અમિત શાહ વર્ષોની પરંપરા જાળવશે, રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરમાં કરશે મંગળા આરતી

Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં ફરી એકવાર 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેના ભાગરૂપે આવતીકાલે સાંજે (ગુરુવાર) કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. 1 જુલાઇએ સવારે 4 વાગે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે. સવારે 9 વાગે કલોલમાં સ્વામિનારાયણ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ત્યારબાદ રૂપાલ ગામમાં કેન્દ્રિય ગૃહમંત્રીની રજત તુલા થશે. અને ત્યાંજ અમિત શાહ જનસભાને સંબોધન કરશે. પછી વાસણ ગામમાં શાહ તળાવનું ભૂમિપૂજન કરશે અને સાંજે અમદાવાદના મોડાસર ગામમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાત મુર્હત કરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ 30 જૂને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ સાંજે આવશે. અમિત શાહ અમદાવાદમાં રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે. 1 જુલાઇએ સવારે 4 વાગે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વર્ષોથી પરંપરા રહી છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રા હોય ત્યારે વહેલી સવારે ભગવાન જગન્નાથ મંદિર જઇ મંગળા આરતી કરે છે. ભાજપના રાષ્ટીય અધ્યક્ષ હતા ત્યારે અને ત્યાર બાદ વર્ષે 2019માં દેશના ગૃહમંત્રી બન્યા ત્યારે પણ તેમણે પોતાની આ પરંપરા તેમણે ચાલુ રાખી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles