30.3 C
Gujarat
Tuesday, October 22, 2024

નવા વાડજની શ્રી ન્યુ વિદ્યાવિહાર ફોર ગર્લ્સ દ્વારા સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી, પર્યાવરણ જનજાગૃતિ રેલી યોજાઈ

Share

અમદાવાદ : અમદાવાદના નવા વાડજમાં શ્રી સાંકળચંદ બાપુજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ન્યુ વિદ્યાવિહાર ફોર ગર્લ્સ દ્વારા સુવર્ણ જયંતી વર્ષની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર નવાવાડજ વિસ્તારમાં વિધાર્થીઓ દ્વારા પર્યાવરણ જનજાગૃતિ રેલી યોજાઈ હતી. આ રેલી દ્વારા નવાવાડજ વિસ્તારમાં અલગ અલગ રૂટો પર ફરી વિધાર્થીઓ દ્વારા જન જન સુધી પર્યાવરણ બચાવોના વિચાર વ્યક્ત કરવામાં આવ્યા હતા. આ રેલીને પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો હતો. સાથે સાથે માં ભારતીના પૂજન – અર્ચન સાથે દરેક જગ્યાએ માં ભારતીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભારતમાતાની જય અને વંદેમાતરમના નાદથી ગૂંજી ઉઠ્યું.

શ્રી ન્યુ વિદ્યાવિહાર ફોર ગર્લ્સ દ્વારા શિક્ષણ સેવા યજ્ઞના 50 વર્ષની ફલશ્રુતિના ભાગરૂપે યોજાયેલ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રજનીભાઈ પટેલ – (પૂર્વ ગૃહમંત્રીશ્રી – મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ), ડૉ. હર્ષદભાઈ પટેલ (ગાંધીનગર લોકસભા પ્રભારી), મનિષભાઇ પટેલ (રમતગમત સેલ-સંયોજક ભાજપ), સોમભાઈ પાઘડી શેઠ, પૃથ્વીસિંહ વાધેલા (થરા નગરપાલિકા પ્રમુખ), શ્રી સાંકળચંદ બાપુજી એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી રૂપેશભાઈ પટેલ, અન્ય ટ્રસ્ટીઓ, સ્થાનિક કોર્પોરેટરઓ તેમજ સૌ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles