Sunday, January 18, 2026

નારણપુરામાં પલ્લવ બ્રિજ તૈયાર, અખબારનગરથી વાસણા માત્ર 20 મિનિટમાં પહોંચાશે, 1 લાખ વાહનચાલકોને મળશે રાહત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં 132 ફૂટ રિંગ રોડ પર બે જંક્નશને આવરી લેતો પલ્લવ બ્રિજ લગભગ તૈયાર થઈ ગયો છે. મે મહિનામાં આ બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે. હાલમાં બ્રિજની મજબૂતાઈ ચકાસ માટે લોડ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. 935 મીટર લાંબો પલ્લવ બ્રિજ તૈયાર થઈ જતાં 1 લાખથી વધુ વાહનચાલકોએ આ બે જંક્શન પર ટ્રાફિકમાં ઊભા રહેવું નહીં પડે.પલ્લવ બ્રિજ તૈયાર થવાના કારણે 1 લાખથી વધુ લોકોએ બે જંક્શન પર ઊભા રહેવુ પડશે નહીં અને લીધા ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારણપુરામાં પલ્લવ બ્રિજ તૈયાર તો થઈ ચૂક્યો છે, પરંતુ હાલમાં બ્રિજની મજબૂતાઈ ચકાસવા માટે લોડ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. 935 મીટર લાંબો પલ્લવ બ્રિજની મજબૂતાઈ ચકાસવા 300 ટન વજનના 10 ટ્રક લોડ કરી ઊભા રાખવામાં આવ્યા હતા. આ બ્રિજ પર લોડ ટેસ્ટ સ્પાન માટે 10 જેટલી ટ્રક ઉભી રાખવામાં આવી છે. 24 કલાક સુધી આ ટ્રક ઉભી રહેશે જે બાદ બ્રિજની ક્ષમતા તેમજ તેના સ્પાનની ચકાસણી કરાશે. જે 18 એપ્રિલ સુધી ચાલશે. હવે ટેસ્ટિંગનું કામ પૂર્ણ થયા બાદ મેમાં પલ્લવ બ્રિજને શહેરીજનો માટે ખુલ્લો મુકાશે.

40 કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજ બનાવનારા અજય ઈન્ફ્રાકોનને પલ્લવ ફલાય ઓવરબ્રિજ બનાવવા કામગીરી અપાઈ હતી.પલ્લવ અને પ્રગતિનગર જંકશન ઉપર કુલ 935 મીટર ઘાટલોડીયા તરફ અને 931 મીટર અંકુર તરફ લંબાઈમાં ફોરલેન સ્પલીટ ફલાય ઓવરબ્રિજ ના સુપર સ્ટ્રકચરની કામગીરી પુરી કરાઈ છે.

હાટકેશ્વરનો માટીપગો બ્રિજ બનાવનારી કંપની વિવાદમાં સપડાતા પલ્લવ બ્રિજનું કામ 8 મહિના સુધી અટક્યું હતું. હાલમાં અન્ડરસ્પેસ તેમજ બ્રિજના ફિનિશિંગની કામગીરી ચાલી રહી છે. લગભગ 8 મહિના સુધી આ કામગીરી રોકી અન્ય નવા કોન્ટ્રાક્ટર માટે પ્રયત્નો કરાયા હતા. જોકે બાદમાં ફરીથી અજય ઈન્ફ્રાને જ બાકીની કામગીરી પૂર્ણ કરવા માટે જવાબદારી અપાઈ હતી.

હવે બીજો બ્રિજ અંધજન મંડળ ખાતે બનાવવાનો વિચાર ચાલી રહ્યો છે. અંધજન મંડળ ખાતે બનેલા બ્રિજની ઉપરથી બીજો ડબલડેકર બ્રિજ બનાવવાની દિશામાં વિચારણા હાથ ધરાઈ રહી છે. તે માટે જરૂરી ચકાસણી ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...