Tuesday, January 20, 2026

અમદાવાદમાં ઇન્દિરાબ્રિજ સર્કલ પાસે એપાર્ટમેન્ટમાં લાગેલી આગ કાબુમાં, મહિલાએ જીવ બચાવવા માર્યો કૂદકો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વખત રેસિડેન્સીયલ વિસ્તારમાં આગની ઘટના બનવા પામી હતી. જેમાં ઈન્દિરાબ્રિજ નજીક આવેલ એક એપાર્ટમેન્ટમાં આ આગની ઘટના બની હતી. આગને કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાથે જ બિલ્ડીંગમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. જોકે હાલ આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તેમણે આગને કાબુમાં લીધી હતી. બિલ્ડીંગમાં આગ લાગવાને કારણે સ્થળ ઉપર પણ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના ઈન્દિરાબ્રિજ નજીક આવેલી આત્રેય ઓર્ચિડ સોસાયટીની ડી વીંગના ફ્લેટના ચોથા માળે આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ફ્લેટના એસીમાં આગ લાગ્યા બાદ આગ આખા ફ્લેટમાં ફરી વળી હતી. બે ફ્લોર પરના અંદાજે આઠેક જેટલા ફ્લેટ સુધી આગ પ્રસરતા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. આગને પગલે ફાયરબ્રિગેડની 10 ગાડી અને પાંચ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટનામાં કુલ પાંચ લોકો પાંચમાં માળેથી આગને કારણે કૂદી ગયા હતા. જોકે સ્થાનિકો અને ફાયર વિભાગના કર્મીઓ પહેલાથી જ તૈયારી રાખીને બેઠા હતા. જેમાં જેના તેઓ નીચે કૂદ્યા કે તેઓએ તેને બચાવી લીધી હતી. ઈન્દિરાબ્રિજ સર્કલ પાસેના એપાર્ટમેન્ટમાં આગ લાગતા રહેવાસીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પાંચમા માળે આગ લાગતા રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આગ લાગવાની ઘટના બનતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો થોડા સમય માટે થંભી જવા પામ્યા હતા.

આ આગની ઘટનામાં ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ચૌથા માળે આગ લાગતા આ આગ પાંચમા માળ સુધી પ્રસરી કુલ 6 મકાનો આગની લપેટમાં આવી જવા પામ્યા હતા. એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. આગ લાગ્યાની ઘટનાની જાણ કરતા ફાયર વિભાગની 8 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગ્રેડનાં કર્મચારીઓ દ્વારા તાત્કાલીક ધોરણે આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ ફસાયેલા રહીશોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...