અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વખત રેસિડેન્સીયલ વિસ્તારમાં આગની ઘટના બનવા પામી હતી. જેમાં ઈન્દિરાબ્રિજ નજીક આવેલ એક એપાર્ટમેન્ટમાં આ આગની ઘટના બની હતી. આગને કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાથે જ બિલ્ડીંગમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. જોકે હાલ આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તેમણે આગને કાબુમાં લીધી હતી. બિલ્ડીંગમાં આગ લાગવાને કારણે સ્થળ ઉપર પણ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના ઈન્દિરાબ્રિજ નજીક આવેલી આત્રેય ઓર્ચિડ સોસાયટીની ડી વીંગના ફ્લેટના ચોથા માળે આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ફ્લેટના એસીમાં આગ લાગ્યા બાદ આગ આખા ફ્લેટમાં ફરી વળી હતી. બે ફ્લોર પરના અંદાજે આઠેક જેટલા ફ્લેટ સુધી આગ પ્રસરતા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. આગને પગલે ફાયરબ્રિગેડની 10 ગાડી અને પાંચ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ઘટનામાં કુલ પાંચ લોકો પાંચમાં માળેથી આગને કારણે કૂદી ગયા હતા. જોકે સ્થાનિકો અને ફાયર વિભાગના કર્મીઓ પહેલાથી જ તૈયારી રાખીને બેઠા હતા. જેમાં જેના તેઓ નીચે કૂદ્યા કે તેઓએ તેને બચાવી લીધી હતી. ઈન્દિરાબ્રિજ સર્કલ પાસેના એપાર્ટમેન્ટમાં આગ લાગતા રહેવાસીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પાંચમા માળે આગ લાગતા રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આગ લાગવાની ઘટના બનતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો થોડા સમય માટે થંભી જવા પામ્યા હતા.
આ આગની ઘટનામાં ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ચૌથા માળે આગ લાગતા આ આગ પાંચમા માળ સુધી પ્રસરી કુલ 6 મકાનો આગની લપેટમાં આવી જવા પામ્યા હતા. એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. આગ લાગ્યાની ઘટનાની જાણ કરતા ફાયર વિભાગની 8 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગ્રેડનાં કર્મચારીઓ દ્વારા તાત્કાલીક ધોરણે આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ ફસાયેલા રહીશોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.


