Wednesday, March 4, 2026

અમદાવાદની વધુ એક રેસ્ટોરન્ટની બેદરકારી, ગુલાબજાંબુમાં નિકળ્યો વંદો, AMCએ માર્યું સીલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઠેક ઠેકાણેથી ખાણીપીણીની ચીજવસ્તુઓમાં જીવજંતુ નિકળવાની ઘટના સામે આવી રહી છે એવામાં અમદાવાદ શહેરમાં એક પીઝા રેસ્ટોરેન્ટની વાનગીમાંથી વંદો દેખાયો હોવાની માહિતી મળી રહી છે. જાગૃત ગ્રાહક દ્વારા આ મામલે વીડિયો ઉતારી વાયરલ કરવામાં આવ્યો હતો.આ વીડિયો કોર્પોરેશનના ફૂડ વિભાગ સુધી પહોંચ્યો હતો, જેથી ફૂડ વિભાગની ટીમ તાત્કાલિક આ સમગ્ર મામલે તપાસ કરવા માટે પહોંચી હતી. ત્યાર બાદ સીલ માર્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સીજી રોડ ઉપર આવેલા ઓક્ટેન પીઝા પાર્લરના ફૂડમાં વંદો હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. આ વીડિયો કોર્પોરેશનના ફૂડ વિભાગ સુધી પહોંચ્યો હતો, કોર્પોરેશનની ટીમ પહોંચી ત્યારે ઓકટન્ટ પિત્ઝા રેસ્ટોરન્ટના કિચનમાં ડ્રેનેજ લાઈન આવેલી છે, જે ઓવરફ્લો થયેલી જોવા મળી હતી. ગટરનું ગંદુ પાણી કિચનમાં આવી જતું હતું. જે જગ્યા ઉપર ફ્રિજમાં શાકભાજી અને ફળો રાખ્યા હતા ત્યાં યોગ્ય સફાઈ કરવામાં આવી નહોતી અને વસ્તુઓ ગમે ત્યાં મૂકી દેવાયેલી હતી. સફાઈ કર્યા વિના શાકભાજી અને ફળોનો ઉપયોગ થતો હોય તેવું જણાતું હતું. આમ સફાઈનો અભાવ જોવા મળ્યો હતો. તેમજ ફૂડ સેફટી એક્ટનું પાલન ન થતું હોવાને લઈને સીલ મારવામાં આવ્યું છે.

એએમસી દ્વારા સમયાંતરે ચેકિંગ કરવાનું હોય છે જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રામભરોસે જ કાર્યવાહી ચાલે છે. તેવી સ્થિતિમાં જો કોઇ નાગરિક જાગૃત હોય અને વીડિયો વાયરલ કરે તો પોતાનું નાક કપાયાની શરમે કાર્યવાહી કરતા હોય છે. જો કે કોર્પોરેશન નિયમાનુસાર કોઇ કાર્યવાહી કરતું નથી. જેના કારણે વેપારીઓ બેફામ બન્યા છે. સામાન્ય રીતે આવા કિસ્સામાં બિલ માફ કરીને માફી માંગીને જ કામ પતાવી દેવામાં આવતું હોય છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...