Wednesday, January 14, 2026

અમદાવાદમાં જાહેરમાં ખૂની ખેલ ખેલાયો! મેઘાણીનગરમાં 8 લોકોએ કરી યુવકની હત્યા

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં ગુનેગારોમાં કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર હોય તેવું લગાતું જ નથી! કારણ કે, ફરી એકવાર ક્રુર હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આઠ જેટલા લોકોએ એક યુવકની ધારદાર હથિયાર વડે હત્યા કરી હોવાનું પ્રકાશમાં આપ્યું છે. આ મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. પરંતુ પ્રશ્ન છે કે, આવા લોકોમાં ખુલ્લેઆમ હત્યા જેવો ગુનો કરવાની હિંમત આવી ક્યાંથી? પોલીસ અમદાવાદ પોલીસે કાયદો અને વ્યવસ્થા સંભાળવામાં સાર્થક નથી?

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શુક્રવારે રાત્રે કાગડાપીઠ વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી નીતિન પટણી નામના યુવકનું અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ આ શખ્સો નીતિનને મેઘાણીનગરમાં લઈ ગયા અને ત્યાં તેની ધારદાર હથિયારો વડે હત્યા કરી દીધી. આ ઘટના દરમિયાન આસપાસના લોકો આ લોહિયાળ ખેલના સાક્ષી બન્યા, અને કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી લીધો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે.વાયરલ થયેલા વીડિયોમાં 7થી 8 શખ્સો નીતિન પર હુમલો કરતા જોવા મળે છે.આ સમગ્ર મામલે અત્યારે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.

લોહિયાળ ગેંગવોરના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ મામલે કાગડાપીઠ પોલીસે વિજય, શૈલેષ અને પૂનમ પટણી નામના 3 આરોપીની ધરપકડ કરી છે. ફરાર આરોપીઓને પકડવા પાંચ ટીમ બનાવવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...