Wednesday, March 4, 2026

અમદાવાદના સોલામાં બની ઘટના, લગ્ન ન કરાવવાના ઝઘડામાં દીકરાએ કરી માતાની હત્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સોલા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પુત્રએ લગ્ન ન કરાવવાના ઝઘડાને લઈને પોતાની માતાની હત્યા કરી નાખી છે. આ ઘટના ગઈકાલે બની હતી, જ્યારે માતા અને પુત્ર વચ્ચે લગ્નના મુદ્દે તીવ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે પુત્રએ માતા પર હુમલો કરી દીધો જેના કારણે માતાને ગંભીર ઈજાઓ થઈ હતી. જે ઈજાઓ અંતે મૃત્યુમાં પરિણમી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સત્તાધાર પાસે વર્ધામાન ફ્લેટમાં દીકરાએ લગ્ન ન કરાવવા મામલે સગી માતા સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન યુવક ઉગ્ર બનતાં માતાને પરફ્યુમની બોટલ મારી દે છે. જેમાં ઈજા પહોંચતા માતાને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

ઘટના બાદ માતાને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, પરંતુ ડૉક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમનું મોત નીપજ્યું હતુ. સોલા પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને આરોપી પુત્રની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના પ્રાથમિક તપાસ અનુસાર, આ ઘટના ઘરેલું ઝઘડાનું પરિણામ છે, જેમાં લગ્ન ન કરાવવાનો મુદ્દો મુખ્ય કારણ હતું. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, માતા અને પુત્ર વચ્ચે લાંબા સમયથી આ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો, જે ગઈકાલે હિંસક બન્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે, અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...