Monday, October 13, 2025

હાઉસિંગ રીડેવલપમેન્ટમાં જુજ સભ્યો દ્વારા વિરોધ કરાતા નવો ટ્રેન્ડ થયો શરૂ ‘લાફાવાળી’…!!

Share

અમદાવાદ : નવા વાડજ, નારણપુરા અને સોલા વિસ્તારની અનેક હાઉસિંગની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા જાેરશોરથી ચાલી રહી છે, જેમાં અનેક સોસાયટીઓમાં વિવિધ કારણોસર બે ચાર ટકા સભ્યો વિવિધ કારણોસર વિરોધ કરીને સોસાયટીના બાકીના નેવું થી પંચાણું ટકાથી વધુ સભ્યોને બાનમાં લેતા હોવાની ચર્ચાઓ ઉઠી છે, જેને લઈને સોસાયટીઓમાં આંતરિક બોલાચાલી અને ઘર્ષણોના બનાવોની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે.તાજેતરમાં નારણપુરામાં શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં કેેટલાક અસંમત સભ્યોએ વિરોધ કરતા સોસાયટીના બહુમત સભ્યો એકઠા થઈ વિરોધ કરનાર સભ્યોને મેથીપાક ચખાડયો હોવાની ચર્ચા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, તાજેતરમાં નારણપુરાના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં આવા બે-ત્રણ અસંમત સભ્યોએ પોતાની સોસાયટી બહારના નકારાત્મક લોકોને બોલાવી રીડેવલપમેન્ટ પ્રક્રિયાના મકાન ખાલી કરાવી કબજાે લેવાની ગુ.હા.બોર્ડની કલમ 60એ મુજબ ઈવીકશન કાર્યવાહી દરમ્યાન વાંધા વિરોધ કરેલ, બહારથી આવેલા કેટલાક લોકો દ્વારા સોસાયટી સભ્યોને મોબાઇલ કેમેરા રેકોર્ડિંગ કરી કેટલાક કાયદાકીય ભાષા કે શબ્દોના ઉપયોગ થકી બોર્ડના અધિકારીઓ તેમજ પોલીસને સરકારી કાર્ય કરવામાં રોડા નાખવાનો અને વિરોધ કરવાનો પ્રયોગ ભારે પડી ગયો.આ સોસાયટીના રીડેવલપમેન્ટ ઈચ્છતા બહુમત સભ્યો એકઠા થઈ ગયા અને બહારથી આવેલા નકારાત્મક લોકોને પોતાની સોસાયટીમાંથી નીકળી જવા જણાવ્યું, આ દરમ્યાન શાબ્દિક ઘર્ષણ થતા ધક્કા મુક્કી થઈ તે તકનો લાભ લઈ બહારથી આવેલા વ્યક્તિ દ્વારા સ્થાનિક સોસાયટીની બહેનોની ધક્કામુક્કી કરાતા છેવટે હાજર રહેલ અને રોડ પર આવતા જતા બહેનો અને ભાઈઓ દ્વારા તે વ્યક્તિને ધોલાઈ કરી મેથીપાક આપ્યા હોવાની ચર્ચાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.

હાઉસિંગના આગેવાન સંદિપ ત્રિવેદીના મત મુજબ, આ એક સોસાયટીનો મામલો નથી, આવુ અનેક સોસાયટીમાં થઈ રહ્યું છે, બે ચાર ટકા અસંમત સભ્યો યેનકેન પ્રકારે વિરોધ કરીને અથવા કાયદાની બારીમાં છટકબારી શોધીને કોર્ટ કેસ કરતા હોય છે, અને સમગ્ર સોસાયટીના નેવું થી પંચાણું ટકા લોકોને બાનમાં લઈને સોસાયટીનું રીડેવપમેન્ટ અટકાવવાનો પ્રયાસ કરતા હોય છે, જેથી હવે બધાએ જાગી જવાની જરૂર છે, જાે કોઈ આ રીતે ખોટી રીતે વિરોધ કરે તો બાકીના તમામ સભ્યોએ એક થઈને રોડ પર આવવું પડશે, વિરોધ કરનારે સબક શિખવાડવો પડશે.

હાઉસિંગના આગેવાન વિશાલ કંથારીયાના જણાવ્યા મુજબ, એક વાતનો આનંદ છે કે બહુમત સભ્યો એ તેમજ આવતી જતી સમજુ પ્રજાએ પોતાની એકતા અને તાકાત બતાવી અને બહારથી આવેલા નકારાત્મક લોકોનો સામુહિક વિરોધ કર્યો અને યોગ્ય પાઠ ભણાવ્યો તે હિંમત અને કામ સરાહનીય છે. ભવિષ્યમાં આવી એકતા દરેક સોસાયટીના બહુમત સભ્યો બતાવે અને શામ ડેમ દંડ ભેદ બધી રીતે યોગ્ય પાઠ ભણાવે તો આ અસામાજિક તત્વો બીજી સોસાયટીમાં જતા સો વાર વિચારે…!

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...