Friday, November 28, 2025

હાઉસિંગ રીડેવલપમેન્ટમાં જુજ સભ્યો દ્વારા વિરોધ કરાતા નવો ટ્રેન્ડ થયો શરૂ ‘લાફાવાળી’…!!

spot_img
Share

અમદાવાદ : નવા વાડજ, નારણપુરા અને સોલા વિસ્તારની અનેક હાઉસિંગની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા જાેરશોરથી ચાલી રહી છે, જેમાં અનેક સોસાયટીઓમાં વિવિધ કારણોસર બે ચાર ટકા સભ્યો વિવિધ કારણોસર વિરોધ કરીને સોસાયટીના બાકીના નેવું થી પંચાણું ટકાથી વધુ સભ્યોને બાનમાં લેતા હોવાની ચર્ચાઓ ઉઠી છે, જેને લઈને સોસાયટીઓમાં આંતરિક બોલાચાલી અને ઘર્ષણોના બનાવોની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે.તાજેતરમાં નારણપુરામાં શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં કેેટલાક અસંમત સભ્યોએ વિરોધ કરતા સોસાયટીના બહુમત સભ્યો એકઠા થઈ વિરોધ કરનાર સભ્યોને મેથીપાક ચખાડયો હોવાની ચર્ચા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, તાજેતરમાં નારણપુરાના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં આવા બે-ત્રણ અસંમત સભ્યોએ પોતાની સોસાયટી બહારના નકારાત્મક લોકોને બોલાવી રીડેવલપમેન્ટ પ્રક્રિયાના મકાન ખાલી કરાવી કબજાે લેવાની ગુ.હા.બોર્ડની કલમ 60એ મુજબ ઈવીકશન કાર્યવાહી દરમ્યાન વાંધા વિરોધ કરેલ, બહારથી આવેલા કેટલાક લોકો દ્વારા સોસાયટી સભ્યોને મોબાઇલ કેમેરા રેકોર્ડિંગ કરી કેટલાક કાયદાકીય ભાષા કે શબ્દોના ઉપયોગ થકી બોર્ડના અધિકારીઓ તેમજ પોલીસને સરકારી કાર્ય કરવામાં રોડા નાખવાનો અને વિરોધ કરવાનો પ્રયોગ ભારે પડી ગયો.આ સોસાયટીના રીડેવલપમેન્ટ ઈચ્છતા બહુમત સભ્યો એકઠા થઈ ગયા અને બહારથી આવેલા નકારાત્મક લોકોને પોતાની સોસાયટીમાંથી નીકળી જવા જણાવ્યું, આ દરમ્યાન શાબ્દિક ઘર્ષણ થતા ધક્કા મુક્કી થઈ તે તકનો લાભ લઈ બહારથી આવેલા વ્યક્તિ દ્વારા સ્થાનિક સોસાયટીની બહેનોની ધક્કામુક્કી કરાતા છેવટે હાજર રહેલ અને રોડ પર આવતા જતા બહેનો અને ભાઈઓ દ્વારા તે વ્યક્તિને ધોલાઈ કરી મેથીપાક આપ્યા હોવાની ચર્ચાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.

હાઉસિંગના આગેવાન સંદિપ ત્રિવેદીના મત મુજબ, આ એક સોસાયટીનો મામલો નથી, આવુ અનેક સોસાયટીમાં થઈ રહ્યું છે, બે ચાર ટકા અસંમત સભ્યો યેનકેન પ્રકારે વિરોધ કરીને અથવા કાયદાની બારીમાં છટકબારી શોધીને કોર્ટ કેસ કરતા હોય છે, અને સમગ્ર સોસાયટીના નેવું થી પંચાણું ટકા લોકોને બાનમાં લઈને સોસાયટીનું રીડેવપમેન્ટ અટકાવવાનો પ્રયાસ કરતા હોય છે, જેથી હવે બધાએ જાગી જવાની જરૂર છે, જાે કોઈ આ રીતે ખોટી રીતે વિરોધ કરે તો બાકીના તમામ સભ્યોએ એક થઈને રોડ પર આવવું પડશે, વિરોધ કરનારે સબક શિખવાડવો પડશે.

હાઉસિંગના આગેવાન વિશાલ કંથારીયાના જણાવ્યા મુજબ, એક વાતનો આનંદ છે કે બહુમત સભ્યો એ તેમજ આવતી જતી સમજુ પ્રજાએ પોતાની એકતા અને તાકાત બતાવી અને બહારથી આવેલા નકારાત્મક લોકોનો સામુહિક વિરોધ કર્યો અને યોગ્ય પાઠ ભણાવ્યો તે હિંમત અને કામ સરાહનીય છે. ભવિષ્યમાં આવી એકતા દરેક સોસાયટીના બહુમત સભ્યો બતાવે અને શામ ડેમ દંડ ભેદ બધી રીતે યોગ્ય પાઠ ભણાવે તો આ અસામાજિક તત્વો બીજી સોસાયટીમાં જતા સો વાર વિચારે…!

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...