Sunday, February 15, 2026

તહેવારોને લઈને AMCનું ફૂડ વિભાગ હરકતમાં, જાણીતા દાસ ખમણનાં બે યુનિટ સીલ

spot_img
Share

અમદાવાદ : તહેવારો ધીરે-ધીરે નજીક આવી રહ્યાં છે ત્યારે AMCનું ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે. AMCના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ, ફરસાણ અને બેકરીના એકમો ઉપર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદમાં જાણીતા એવા દાસ ખમણની બે બ્રાંચ સીલ કરી દેવાઇ છે. જેમાંથી ટોટલ પોલર કમ્પાઉન્ડ એટલે કે TPCનું પ્રમાણ વધુ માત્રામાં મળી આવ્યું છે. 25 ટકા TPC સામે દાસ ખમણના ફરસાણમાં 60થી 80 ટકા TPC જોવા મળ્યું છે. એકના એક તેલમાં વારંવાર વાનગીઓ તળવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ AMCના ફૂડ વિભાગની કાર્યવાહીમાં તેલની ગુણવત્તા સહિતની ચીજોની તપાસ કરતાં દાસ ખમણની બોડકદેવ અને દાણાપીઠ બ્રાન્ચમાં એક જ તેલમાં વારંવાર ફરસાણ તળાતું હોવાથી બંને એકમ સીલ કરાયા હતા. તેલની TPC (ટોટલ પોલર કમ્પાઉન્ડ) 60-80 જેટલી ઊંચી હતી. 13 દિવસમાં જ મ્યુનિ.એ 103 ખાદ્ય પદાર્થના નમૂના લીધા હતા, જેના રિઝલ્ટ આવવાના બાકી છે. 228 એકમમાં તપાસ કરી 154 કિલો ખોરાક અને 67 લિટર તેલવાળા પદાર્થનો નાશ કરી 9 હજાર વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...