Wednesday, April 15, 2026

હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોમાં રહેતા હજારો લોકોના રીડેવલપમેન્ટના સપનાને સાકાર કરતાં હાઉસિંગ બોર્ડના કમિશ્નર સંદિપ વસાવા…!!

spot_img
Share

અમદાવાદ : આપણા અસ્તિત્વને સલામત રાખવા અને આપણી ર્નિભય નિંદ્રા માટે જરૂરી છે એક પોતાનું ઘર હોવું..સાંપ્રત સમયમાં પોતાનું નવું ઘર હોવું એ ખૂબ જ કઠિન ચૂનોતી છે..

ડેવલપમેન્ટ શબ્દને સુંદર બનાવનાર એક મહત્વનું પાસું છે ‘રીડેવલપમેન્ટ‘.. હાલના ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશ્નર શ્રી સંદીપ વસાવાએ ખુબ જ ટુંકા ગાળામાં પોતાના કર્મનિષ્ઠ સ્વભાવથી હાઉસિંગ બોર્ડની વસાહતોમાં રહેતા હજારો લોકો માટે રીડેવલપમેન્ટની મુહિમ છેડી છે. અગાઉ એવું કહેવાતું કે, સરકારી યોજના એટલે ક્યાંક પાઇપલાઇનમાં જ ફસાયેલો પ્રોજેક્ટ..પરંતુ હાઉસિંગ બોર્ડના કમિશ્નર શ્રી સંદીપ વસાવાએ પોતાના કાર્યકાળમાં રીડેવલપમેન્ટ યોજનાઓને જે રીતે આકાર આપ્યો છે, તે જાેતાં શહેરના હાઉસિંગ બોર્ડની કોલોનીઓમાં રહેતા હજારો નાગરિકોને ટૂંક સમયમાં તેઓને નવું અને આધુનિક ઘર મળશે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત સરકારે 2016માં હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનો માટે રીડેવલપમેન્ટ પોલીસી અમલમાં મુકી, પરંતુ 2016 થી 2022 સુધી આ પોલીસીમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલી કોલોનીઓ પોલીસીનો લાભ લઈ જાેડાઈ, પરંતુ વર્તમાન હાઉસિંગ બોર્ડના કમિશ્નરે 2023 માં ચાર્જ સંભાળ્યા ત્યારથી પોલીસીમાં પ્રજાકીય સુધારા દ્વારા ગાડી પાટે ચડાવી. સરકારમાં બહોળો અનુભવ ધરાવતા લોકોની રજુઆત સાંભળી સમયાંતરે પોલીસી અને નિયમોમાં સુધારા કરી રીડેવલપમેન્ટને તેજ ગતિએ દોડાવવાનો પ્રયાસ કર્યાે, જેનું પરિણામ એ આવ્યું કે બે વર્ષના ટુંકા ગાળામાં 60 થી વધુ રીડેવલપમેન્ટ પ્રોજેકટ મંજુર કર્યા.

હાઉસિંગ સુત્રો મુજબ, જે પ્રોજેકટના ડેવલપર્સ પસંદ થઈ ગયા છે, તે કુલ 35 કોલોનીઓના ટ્રાઈ પાર્ટી એગ્રીમેન્ટ આ સમયગાળામાં પૂર્ણ થયે છે. 27 પૈકી 23 માં ડીમોલેશન પૂર્ણ થયેલ છે. 27 પૈકી 23 કોલોનીઓમાં નકશા માટે રજાચિઠ્ઠી માટે મંજુરી હેઠળ છે. 19 પૈકી 15 પ્રોજેકટમાં રજાચિઠ્ઠી તેઓના સમયગાળામાં મળેલ છે.

આ ઉપરાંત મંજુર પ્રોજેક્ટ પૈકી 30 પ્રોજેકટમાં લાભાર્થીઓ સાથે નકશા મંજુરી અને ટ્રાઈ પાર્ટી એગ્રેમેન્ટની બાબતો વાટાઘાટો હેઠળ છે.હાલમાં નવા કુલ 126 કોલોનીઓના 65 જેટલા પ્રોજેકટ આયોજન હેઠળ અને ટેન્ડર સ્ટેજ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 10 કોલોનીના 09 ટેન્ડર પ્રસિદ્ધ થઈ કાર્યવાહી હેઠળે છે.જયારે અન્ય 56 પ્રોજેકટની કામગીરી વિવિધ તબક્કે કાર્યવાહી હેઠળ છે.

અગાઉના મંજુર થયેલ પ્રોજેકટ જે ખોરંભે પડેલ તેના સહિત હાલમાં 72 કોલોનીઓના 45 પ્રોજેકટમાં ડેવવપર્સ ઈ-ટેન્ડર પ્રક્રિયા કરીને પસંદ થઈ ગયેલ છે.કુલ 89 કોલોનીઓના સંયુક્તપણેની જરૂરિયાત મુજબ આયોજન કરીને નવા 60 રીડેવલપમેન્ટ પ્રોજેકટ મંજુર કર્યા, જેમાં કુલ 17088 લાભાર્થીઓનો સમાવેશ થાય છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડને ત્વરિત સહકાર આપી નાગરિકો માટે ઘરનું ઘર કરવું એ ફરજની સાથે નૈતિક સમર્પણનું પ્રતિક છે.. શ્રી સંદીપ વસાવાએ પોતાની કાર્યક્ષમ ટેકનીકલ ટીમ બનાવી અને ખૂબ જ ટૂંકા સમયમાં વ્યવસ્થિત રીતે જે રીતે રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ ઉભા કર્યા છે, તે દર્શાવે છે કે આપણું શહેર બાંધકામ ક્ષેત્રે એક સુરક્ષિત અને સનિષ્ઠ અધિકારીના હાથમાં છે..

30 થી 40 વર્ષ જૂના ખખડી ગયેલા બાંધકામોને ડીમોલિશ કરી, તેને માટે યોગ્ય બિલ્ડરને શોધી, તે બિલ્ડર સમયસર પોતાનું કામ કરે છે કે નહીં તેના પર નજર રાખવી એ ખૂબ મોટી જવાબદારી છે અને શ્રી સંદીપ વસાવાએ આ જવાબદારી ખૂબ જ પ્રમાણિકતાથી નિભાવી રહ્યાં છે..આશા રાખીએ કે આવી જ રીતે આપણા શહેરને સુયોગ્ય માર્ગે નવું સ્વરૂપ મળે અને સામાન્ય માણસને પણ પોતાનું ઘર મળે..

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...