Wednesday, January 21, 2026

મોડી રાત્રે રિવરફ્રન્ટ પર પોલીસના ડરથી ભાગવા જતાં સગીરનું અકસ્માતમાં મોત, બે કિશોરો ઈજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ : ગત રાત્રે અમદાવાદ રિવરફ્રન્ટ પર અકસ્માત સર્જાયો હતો. રિવરફ્રન્ટ ઇસ્ટમાં ગઈકાલે રાતે અકસ્માતમાં 15 વર્ષના સગીર ક્રીશ ભીખાભાઈ પરમારનું મોત થયું હતું. મળતા અહેવાલ પ્રમાણે, અન્ય સગીર મયુર સોલંકી અને દીક્ષિત સોલંકી ઈજાગ્રસ્ત થયા છે. પોલીસના બીકથી ભાગતા સમય ઘટના બની હોવાનો આરોપ છે.

મળતા અહેવાલ પ્રમાણે, દિવાળીના તહેવાર હોવાથી અમદાવાદના બહેરામપુરામાં રહેતા દીક્ષિત પરમાર તેના પડોશી મયૂર સોલંકી અને ક્રિશ પરમાર નામના સગીર સાથે એક્સેસ ટુ વ્હીલર પર રિવરફ્રન્ટ ખાતે ફટાકડા ફોડવા ગયો હતો. રાત્રે 12 વાગ્યા બાદ ફટાકડા ફોડતા હોવાથી પોલીસ પણ ત્યાં પહોંચી હતી. પોલીસને જોઈને ત્રણે જણા એક્સેસ ઉપર ત્યાંથી જઈ રહ્યા હતા. રિવરફ્રન્ટ પાર્ક સામે શીતલ એક્વા બિલ્ડીંગ પાસે મોપેડનું બેલેન્સ ગુમાવતાં ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતને કારણે ઇજા પામતા ત્રણેય યુવકોને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં મોપેડ ચાલક ક્રિશ ભીખાભાઇ પરમારનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જ્યારે બંને ઇજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે. આ સમગ્ર બનાવ મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રિવરફ્રન્ટ પાર્ક સામે વાહનનું સંતુલન ગુમાવવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં અકસ્માતની ગંભીરતા દેખાય છે. ટ્રાફિક પોલીસે ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે, જેમાં અકસ્માતના કારણો અને જવાબદારી નક્કી કરવા માટે વધુ તપાસ આદરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સ્પીડમાં વાહન ચલાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...