Tuesday, September 16, 2025

મોડી રાતે RTO પાસે હિટ એન્ડ રનની ઘટના : ઔડી કારે યુવકને રોડ પર દૂર સુધી કચડીને થઇ ફરાર

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં ગુરુવારે મોડી રાતે RTO પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં વૈભવી કારના પૈડા નીચે કચડાઈને નોકરી કરીને પરત ફરી રહેલો યુવકનું મોત નિપજ્યુ હતું. તો યુવકને કચડીને ઔડી કારનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સવાર સુધીમાં સીસીટીવી મેળવીને કાર ચાલકને શોધી કાઢ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે આરટીઓ સર્કલ પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં એક ઓડી કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. મળતી માહિતી પ્રમાણે મૃતક યુવક વિશાલા હોટલ ખાતે કેશિયર તરીકે નોકરી કરતો હતો. યુવક નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ઓડી કાર ચાલકે તેને અડફેટે લીધો હતો. એવી પણ માહિતી મળી છે કે કાર ચાલક ચીમનભાઈ બ્રીજથી બાઇક ચાલકને આરટીઓ સર્કલ સુધી ઢસડીને લઈ ગયો હતો.

મૃતક યુવકની ઉંમર 25 વર્ષ છે. મૃતક યશ ગાયકવાડ ઝુંડાલની રહેવાશી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર ઓડી કારનો નંબર GJ-01-RP- 0774 હોવાનું સામે આવ્યું છે. આ મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...