અમદાવાદ : અમદાવાદના નવા વાડજ વોર્ડમાં આવેલ નવા વાડજ સર્કલમાં ભારત માતાનું 3500 કિલોગ્રામ વજન ધરાવતુ બ્રોન્ઝ મટીરીયલમાંથી બનાવાયેલુ સ્કલપચર મુકાશે.આ સ્કલપચરની ઉંચાઈ 15 ફૂટ હશે. રુપિયા 60 લાખના ખર્ચથી નવા વાડજ સર્કલ ડેવલપ કરાશે. હાલ સ્કલપચર મુકવા માટે ફાઉન્ડેશનની કામગીરી ચાલી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવાવાડજ વોર્ડ ઓફિસ સામે આવેલ નવાવાડજ સર્કલ ખાતે મ્યુનિ.15 ફૂટની ભારત માતાની 3500 કિલોગ્રામ વજનની કાંસ્યની પ્રતિમા મૂકશે. આ સર્કલ પર અંદાજે 60 લાખના ખર્ચે આ પ્રતિમા તૈયાર કરાવાશે. આગામી 6 મહિનામાં આ કાસ્ય પ્રતિમા સાથેનું સર્કલ તૈયાર થઇ જશે.ધારાસભ્ય તથા વોર્ડના કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી સર્કલ ડેવલપ કરવા ઉપરાંત ભારત માતાનુ સ્કલપચર મુકવા કોન્ટ્રાકટર આશિષ ઈન્ફ્રાસ્ટ્રકચરને કામગીરી અપાઈ છે.સ્કલપચરનુ જે વજન નકકી કરાયુ છે તેને ધ્યાનમાં રાખીને હાલ છ ફુટ સુધીનુ ફાઉન્ડેશન તૈયાર કરાઈ રહયુ છે. ભારત માતાની પ્રતિમા મુકવા અંગે થયેલી રજૂઆત બાદ તંત્રએ મંજૂરી આપી છે. ભારત માતાની આ પ્રતિમા કાસ્યમાંથી બનેલી અને 15 ફૂટ ઊંચી તથા 4 ફૂટનો બેઝ ધરાવતી હશે. 6 ફૂટના ફાઉન્ડેશનમાં પ્રતિમા ઊભી કરાશે.
નવા વાડજ સર્કલ ડેવલપ કરવા તેમજ સ્કલપચર મુકવાની કામગીરી છ મહિનામા કોન્ટ્રાકટર દ્વારા પુરી કરવાની રહેશે.અમદાવાદમાં આટલી ઉંચાઈ અને વજન ધરાવતુ આ પ્રકારનુ પહેલુ સ્કલપચર હશે એમ જાણવા મળે છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ શહેરમાં અનેક સ્થળે ઓલિમ્પિક સહિતના સ્કલ્પચર મુકવામાં આવ્યા છે.


