Friday, January 23, 2026

નવાવાડજ સર્કલે ભારત માતાનું 3500 કિલોગ્રામ વજનનું 15 ફૂટ ઉંચુ સ્કલપચર મુકાશે, 60 લાખ મંજૂરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નવા વાડજ વોર્ડમાં આવેલ નવા વાડજ સર્કલમાં ભારત માતાનું 3500 કિલોગ્રામ વજન ધરાવતુ બ્રોન્ઝ મટીરીયલમાંથી બનાવાયેલુ સ્કલપચર મુકાશે.આ સ્કલપચરની ઉંચાઈ 15 ફૂટ હશે. રુપિયા 60 લાખના ખર્ચથી નવા વાડજ સર્કલ ડેવલપ કરાશે. હાલ સ્કલપચર મુકવા માટે ફાઉન્ડેશનની કામગીરી ચાલી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવાવાડજ વોર્ડ ઓફિસ સામે આવેલ નવાવાડજ સર્કલ ખાતે મ્યુનિ.15 ફૂટની ભારત માતાની 3500 કિલોગ્રામ વજનની કાંસ્યની પ્રતિમા મૂકશે. આ સર્કલ પર અંદાજે 60 લાખના ખર્ચે આ પ્રતિમા તૈયાર કરાવાશે. આગામી 6 મહિનામાં આ કાસ્ય પ્રતિમા સાથેનું સર્કલ તૈયાર થઇ જશે.ધારાસભ્ય તથા વોર્ડના કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી સર્કલ ડેવલપ કરવા ઉપરાંત ભારત માતાનુ સ્કલપચર મુકવા કોન્ટ્રાકટર આશિષ ઈન્ફ્રાસ્ટ્રકચરને કામગીરી અપાઈ છે.સ્કલપચરનુ જે વજન નકકી કરાયુ છે તેને ધ્યાનમાં રાખીને હાલ છ ફુટ સુધીનુ ફાઉન્ડેશન તૈયાર કરાઈ રહયુ છે. ભારત માતાની પ્રતિમા મુકવા અંગે થયેલી રજૂઆત બાદ તંત્રએ મંજૂરી આપી છે. ભારત માતાની આ પ્રતિમા કાસ્યમાંથી બનેલી અને 15 ફૂટ ઊંચી તથા 4 ફૂટનો બેઝ ધરાવતી હશે. 6 ફૂટના ફાઉન્ડેશનમાં પ્રતિમા ઊભી કરાશે.

નવા વાડજ સર્કલ ડેવલપ કરવા તેમજ સ્કલપચર મુકવાની કામગીરી છ મહિનામા કોન્ટ્રાકટર દ્વારા પુરી કરવાની રહેશે.અમદાવાદમાં આટલી ઉંચાઈ અને વજન ધરાવતુ આ પ્રકારનુ પહેલુ સ્કલપચર હશે એમ જાણવા મળે છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ શહેરમાં અનેક સ્થળે ઓલિમ્પિક સહિતના સ્કલ્પચર મુકવામાં આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...