Friday, March 6, 2026

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર! AMTS અને BRTSમાં હવે ‘એક જ ટિકિટ’ ચાલશે, સિંગલ ટિકિટ વિન્ડો સિસ્ટમને મંજૂરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની પરિવહન વ્યવસ્થાને લઈને એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અમદાવાદીઓએ AMTS અને BRTSમાં મુસાફરી કરવા માટે અલગ-અલગ ટિકિટ લેવાની પળોજણમાંથી મુક્તિ મળશે. AMCની સ્ટેન્ડિંગ કમિટીએ ‘સિંગલ ટિકિટ વિન્ડો સિસ્ટમ’ને મંજૂરી આપી દીધી છે, જેનાથી લાખો મુસાફરોનો સમય અને શક્તિ બચશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કંપનીને 12 વર્ષ માટે રૂ. 470 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવા અંગેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે AMC એ એક ખાનગી કંપનીને જવાબદારી સોંપી છે.જે નવી પદ્ધતિ સંપૂર્ણપણે અમલમાં આવતા અંદાજે 12 મહિના જેટલો સમય લાગશે. ખાનગી કંપનીને 11 વર્ષ માટે આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન જાહેર પરિવહનની સેવામાં વધારો થઈ રહ્યો છે જેમાં ખાસ કરીને એએમટીએસ અને બીઆરટીએસમાં રોજના પાંચ લાખથી વધારે મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. લોકો એક જ ટિકિટ લઈને બસમાં મુસાફરી કરી શકે તેના માટે Integrated Transit Management System (ITMS) અને Automatic Fare Collection System (AFCS) પ્રોજેક્ટ શરૂ કર્યા છે. જે અંતર્ગત એક જ ટિકિટ પર AMTS અને BRTS બસમાં લોકો મુસાફરી કરી શકશે.

સ્ટેન્ડિંગ કમિટીના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને સીમલેસ (અડચણ વગરની) મુસાફરી પૂરી પાડવાનો અને શહેરના ટ્રાફિક ભારણને ઘટાડવાનો છે. AMCના આ નિર્ણયથી મેનપાવરમાં ઘટાડો થશે. ઓટોમેટેડ અને ડિજિટલ ટિકિટિંગને કારણે મેનપાવરની જરૂરિયાત ઓછી થશે, જે તંત્ર માટે આર્થિક રીતે ફાયદાકારક રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...