Monday, January 19, 2026

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર! AMTS અને BRTSમાં હવે ‘એક જ ટિકિટ’ ચાલશે, સિંગલ ટિકિટ વિન્ડો સિસ્ટમને મંજૂરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની પરિવહન વ્યવસ્થાને લઈને એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અમદાવાદીઓએ AMTS અને BRTSમાં મુસાફરી કરવા માટે અલગ-અલગ ટિકિટ લેવાની પળોજણમાંથી મુક્તિ મળશે. AMCની સ્ટેન્ડિંગ કમિટીએ ‘સિંગલ ટિકિટ વિન્ડો સિસ્ટમ’ને મંજૂરી આપી દીધી છે, જેનાથી લાખો મુસાફરોનો સમય અને શક્તિ બચશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કંપનીને 12 વર્ષ માટે રૂ. 470 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવા અંગેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે AMC એ એક ખાનગી કંપનીને જવાબદારી સોંપી છે.જે નવી પદ્ધતિ સંપૂર્ણપણે અમલમાં આવતા અંદાજે 12 મહિના જેટલો સમય લાગશે. ખાનગી કંપનીને 11 વર્ષ માટે આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન જાહેર પરિવહનની સેવામાં વધારો થઈ રહ્યો છે જેમાં ખાસ કરીને એએમટીએસ અને બીઆરટીએસમાં રોજના પાંચ લાખથી વધારે મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. લોકો એક જ ટિકિટ લઈને બસમાં મુસાફરી કરી શકે તેના માટે Integrated Transit Management System (ITMS) અને Automatic Fare Collection System (AFCS) પ્રોજેક્ટ શરૂ કર્યા છે. જે અંતર્ગત એક જ ટિકિટ પર AMTS અને BRTS બસમાં લોકો મુસાફરી કરી શકશે.

સ્ટેન્ડિંગ કમિટીના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને સીમલેસ (અડચણ વગરની) મુસાફરી પૂરી પાડવાનો અને શહેરના ટ્રાફિક ભારણને ઘટાડવાનો છે. AMCના આ નિર્ણયથી મેનપાવરમાં ઘટાડો થશે. ઓટોમેટેડ અને ડિજિટલ ટિકિટિંગને કારણે મેનપાવરની જરૂરિયાત ઓછી થશે, જે તંત્ર માટે આર્થિક રીતે ફાયદાકારક રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...