Saturday, January 24, 2026

નવા વાડજમાં બિલાડી પર પથ્થરો મારી ઘાતકી હત્યા કરનારની ધરપકડ, કારણ જાણી ચોંકી જશો !

spot_img
Share

અમદાવાદ : શહેરમાં પશુ પ્રત્યેની ક્રૂરતાની એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને કોઈપણનું કાળજું કંપી ઉઠે. નવા વાડજ વિસ્તારમાં એક પત્થર જેવા હૃદયના યુવકે નિર્દોષ બિલાડીને અત્યંત નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારી હતી. આ અમાનવીય કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે વાડજ પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવા વાડજની સહજ હાઈટ્સની બાજુમાં આવેલા AMCના ખાલી પ્લોટમાં બે યુવક અને એક બાળક એક્ટિવા લઈને આવ્યાં હતાં. આ લોકો તેમની સાથે એક સફેદ કલરનો કોથળો લાવ્યા હતા. આ કોથળામાં એક બિલાડી હતી. એક યુવકે આ કોથળાને પહેલા જમીન પર પછાડ્યો હતો. એ બાદ બિલાડીને કોથળામાંથી બહાર કાઢી હતી અને બિલાડી ઉપર એક બાદ એક મોટા પથ્થર ઉપાડી ફેંક્યા હતા.આટલેથી ન અટકતા, વિકૃત માનસ ધરાવતા યુવકે બિલાડીના મોઢા પર પગ મૂકી તેને કચડી નાખી હતી.અંતે, લોહીલુહાણ હાલતમાં તરફડતી બિલાડી પાસે બેસીને યુવકે વિકૃત રીતે ફોટા પણ પડાવ્યા હતા.

આ સમગ્ર ઘટના બાજુની બિલ્ડિંગમાં રહેતા એક જાગૃત નાગરિકે પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. વીડિયોમાં એક્ટિવાનો નંબર સ્પષ્ટ દેખાતો હોવાથી પોલીસને આરોપી સુધી પહોંચવામાં સરળતા રહી હતી.વીડિયો અને પુરાવાઓના આધારે વાડજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. એક્ટિવા નંબરના આધારે પોલીસે મુખ્ય આરોપીની ઓળખ કરી તેની અટકાયત કરી લીધી છે. અને બી.એન.એસ.ની કલમ 325 તથા પશુ ક્રુરતા સંરક્ષણ અધિનિયમ (Prevention of Cruelty to Animals Act)ની કલમ 11(1)(એલ) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વાડજ પોલીસે રાહુલ દંતાણી નામના યુવકની ધરપકડ કરી છે. જે વાડજના મહાદેવનગર ઓડાના મકાનમાં રહે છે. ગઈકાલે આરોપીએ સહજ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં એક બિલાડીને પથ્થર મારી મોત નીપજાવ્યું હતું. જે અંગેના વિડીયો સામે આવતા એનિમલ વેલ્ફેર સંસ્થાના વોલેન્ટિયર્સે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે એક્ટિવાના નંબરના આધારે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પશુ ક્રૂરતા સંરક્ષણ અધિનિયમ 1960ની કલમ અને બીએનએસની કલમ 325 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી રાહુલ દંતાણીની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, જે બિલાડીને તેણે મારી નાખી હતી. તે બિલાડી તેણે અને તેના બ્લોકના લોકોએ પાળી હતી. પરંતુ બે દિવસ પહેલા રાહુલની ગર્ભવતી પત્ની બિલાડીને દૂધ પીવડાવવા માટે ગઈ હતી. તે સમયે બિલાડીએ તેની પત્નીને ઇજા પહોંચાડતા ડોક્ટરે તે ઈજાને ગંભીર જણાવી હતી, જે વાતનો ગુસ્સો રાખી પોતાની પાલતુ બિલાડીને જ કોથળામાં પૂરી ખુલ્લા પ્લોટમાં લઈ જઈ પથ્થર મારી મોત નીપજાવ્યું હતું. જેનો વિડીયો સામે આવતા પોલીસે ગુનો નોંધી રાહુલ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, વાડજ પોલીસે બિલાડીને મારી નાખનાર રાહુલની ધરપકડ કરી પરંતુ વીડિયોમાં તેની સાથે દેખાઈ રહેલા અન્ય બે યુવકોની આ ગુનામાં કોઈ ભૂમિકા છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે. સાથે જ આરોપી બિલાડીના મોત માટે જે કારણ જણાવી રહ્યો છે. તે કારણ કેટલું સાચું છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. કારણ કે બનાવની પ્રાથમિક તપાસમાં બિલાડી કબૂતરોને મારી નાખ્યા હોવાની વાત સામે આવી હતી. જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...