Friday, March 6, 2026

નવા વાડજમાં બિલાડી પર પથ્થરો મારી ઘાતકી હત્યા કરનારની ધરપકડ, કારણ જાણી ચોંકી જશો !

spot_img
Share

અમદાવાદ : શહેરમાં પશુ પ્રત્યેની ક્રૂરતાની એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને કોઈપણનું કાળજું કંપી ઉઠે. નવા વાડજ વિસ્તારમાં એક પત્થર જેવા હૃદયના યુવકે નિર્દોષ બિલાડીને અત્યંત નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારી હતી. આ અમાનવીય કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે વાડજ પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવા વાડજની સહજ હાઈટ્સની બાજુમાં આવેલા AMCના ખાલી પ્લોટમાં બે યુવક અને એક બાળક એક્ટિવા લઈને આવ્યાં હતાં. આ લોકો તેમની સાથે એક સફેદ કલરનો કોથળો લાવ્યા હતા. આ કોથળામાં એક બિલાડી હતી. એક યુવકે આ કોથળાને પહેલા જમીન પર પછાડ્યો હતો. એ બાદ બિલાડીને કોથળામાંથી બહાર કાઢી હતી અને બિલાડી ઉપર એક બાદ એક મોટા પથ્થર ઉપાડી ફેંક્યા હતા.આટલેથી ન અટકતા, વિકૃત માનસ ધરાવતા યુવકે બિલાડીના મોઢા પર પગ મૂકી તેને કચડી નાખી હતી.અંતે, લોહીલુહાણ હાલતમાં તરફડતી બિલાડી પાસે બેસીને યુવકે વિકૃત રીતે ફોટા પણ પડાવ્યા હતા.

આ સમગ્ર ઘટના બાજુની બિલ્ડિંગમાં રહેતા એક જાગૃત નાગરિકે પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. વીડિયોમાં એક્ટિવાનો નંબર સ્પષ્ટ દેખાતો હોવાથી પોલીસને આરોપી સુધી પહોંચવામાં સરળતા રહી હતી.વીડિયો અને પુરાવાઓના આધારે વાડજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. એક્ટિવા નંબરના આધારે પોલીસે મુખ્ય આરોપીની ઓળખ કરી તેની અટકાયત કરી લીધી છે. અને બી.એન.એસ.ની કલમ 325 તથા પશુ ક્રુરતા સંરક્ષણ અધિનિયમ (Prevention of Cruelty to Animals Act)ની કલમ 11(1)(એલ) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વાડજ પોલીસે રાહુલ દંતાણી નામના યુવકની ધરપકડ કરી છે. જે વાડજના મહાદેવનગર ઓડાના મકાનમાં રહે છે. ગઈકાલે આરોપીએ સહજ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં એક બિલાડીને પથ્થર મારી મોત નીપજાવ્યું હતું. જે અંગેના વિડીયો સામે આવતા એનિમલ વેલ્ફેર સંસ્થાના વોલેન્ટિયર્સે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે એક્ટિવાના નંબરના આધારે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પશુ ક્રૂરતા સંરક્ષણ અધિનિયમ 1960ની કલમ અને બીએનએસની કલમ 325 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી રાહુલ દંતાણીની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, જે બિલાડીને તેણે મારી નાખી હતી. તે બિલાડી તેણે અને તેના બ્લોકના લોકોએ પાળી હતી. પરંતુ બે દિવસ પહેલા રાહુલની ગર્ભવતી પત્ની બિલાડીને દૂધ પીવડાવવા માટે ગઈ હતી. તે સમયે બિલાડીએ તેની પત્નીને ઇજા પહોંચાડતા ડોક્ટરે તે ઈજાને ગંભીર જણાવી હતી, જે વાતનો ગુસ્સો રાખી પોતાની પાલતુ બિલાડીને જ કોથળામાં પૂરી ખુલ્લા પ્લોટમાં લઈ જઈ પથ્થર મારી મોત નીપજાવ્યું હતું. જેનો વિડીયો સામે આવતા પોલીસે ગુનો નોંધી રાહુલ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, વાડજ પોલીસે બિલાડીને મારી નાખનાર રાહુલની ધરપકડ કરી પરંતુ વીડિયોમાં તેની સાથે દેખાઈ રહેલા અન્ય બે યુવકોની આ ગુનામાં કોઈ ભૂમિકા છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે. સાથે જ આરોપી બિલાડીના મોત માટે જે કારણ જણાવી રહ્યો છે. તે કારણ કેટલું સાચું છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. કારણ કે બનાવની પ્રાથમિક તપાસમાં બિલાડી કબૂતરોને મારી નાખ્યા હોવાની વાત સામે આવી હતી. જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...