Friday, March 6, 2026

અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી સામે ક્રાઇમ બ્રાન્ચનું મેગા ઓપરેશન, 3 દિવસમાં 8 કેસ નોંધાયા

spot_img
Share

અમદાવાદ : શહેરમાંથી નશાબંધીના દુષણને નાબૂદ કરવાના ચાલુ મિશનના ભાગરૂપે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મેગા ઓપરેશન શરુ કર્યું છે. છેલ્લા 72 કલાકમાં હાથ ધરવામાં આવેલ આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સપ્લાય ચેઈનને તોડવાનો, નાણાકીય નેટવર્કને ટાર્ગેટ કરવાનો અને રીઢા ગુનેગારોની ઓળખ કરવાનો હતો.પોલીસના આ આક્રમક અભિગમથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી મુજબ, છેલ્લા 72 કલાકમાં ક્રાઈમ બ્રાન્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં NDPS એક્ટ હેઠળ 8 નવા કેસ નોંધ્યા છે. 30 થી વધુ જાણીતા ડ્રગ પેડલર્સને આંતરીને તેમની કડક પૂછપરછ અને બેકગ્રાઉન્ડ ચેકિંગ કરવામાં આવ્યું હતું. માત્ર નશાકારક દ્રવ્યો જ નહિ, ડ્રગ્સ ઉપરાંત, “ગોગો” (રોલિંગ પેપર/સ્મોકિંગ કિટ) અને ગેરકાયદેસર ઇ-સિગારેટના વેચાણને લક્ષ્ય બનાવીને પણ અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે.જેથી યુવાધનને બરબાદ થતું અટકાવી શકાય.

ડ્રગ ટ્રેડના લોજિસ્ટિક્સને તોડવા માટે, ક્રાઈમ બ્રાન્ચે ખાસ કરીને નાર્કો-ફાઇનાન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને બે “જાણવા જોગ” (પ્રાથમિક તપાસ) શરૂ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પેડલર્સ વ્યવહાર કરવા અને પોલીસથી બચવા માટે નકલી સિમ કાર્ડ અને બેંકની ખોટી વિગતોનો ઉપયોગ કરી રહ્યા હતા. પરિણામે, પોલીસ હવે આ વ્યક્તિઓ સામે નશાબંધીના ગુના ઉપરાંત છેતરપિંડી અને બનાવટ (ફોર્જરી) માટે BNS (અગાઉની IPC) ની કલમો હેઠળ પણ ગુના નોંધી રહી છે.

પોલીસે આ ઝુંબેશમાં માનવીય અભિગમ દર્શાવ્યો છે, જેમાં ‘એડિક્ટ-પેડલર્સ’ (જેઓ મુખ્યત્વે પોતાના વ્યસનનો ખર્ચ કાઢવા ડ્રગ્સ વેચે છે) ની ઓળખ કરી તેઓને NDPS એક્ટની કલમ 64A હેઠળ, કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ મળી રહી છે, જો તેઓ સ્વેચ્છાએ વ્યસનમુક્તિ માટે તબીબી સારવાર લેવા તૈયાર થાય, તેમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...