Sunday, January 25, 2026

AMC દ્વારા જાહેર માર્ગો અને ફૂટપાથ પરથી દબાણ દૂર કરવા ત્રણ દિવસીય નાઈટ ડ્રાઈવ યોજાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સુગમતા, જાહેર સલામતી અને નાગરિકોની સુવિધા સુનિશ્ચિત કરવા હેતુસર છેલ્લી ત્રણ રાત્રિ દરમિયાન વિવિધ ઝોનમાં વ્યાપક નાઈટ દબાણ વિરોધી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત જાહેર માર્ગો, ફૂટપાથ તેમજ ટ્રાફિકમાં અવરોધરૂપ બનેલા દબાણો દૂર કરવાની સંકલિત કાર્યવાહી હાથ ધરાઈ હતી. છેલ્લી ત્રણ રાત્રિએ પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને મધ્ય ઝોનમાં નાઈટ ડ્રાઈવ યોજાઈ હતી.

પશ્ચિમ ઝોનમાં સરદાર પટેલ નગર, પંચવટી, સી.એન.વિદ્યાલય, પાંજરાપોળ, ઉસ્માનપુરા, એલ.ડી.કોલેજ, સેપ્ટ યુનિવર્સિટી રોડ, વિજય ચાર રસ્તા, સી.જી. રોડ, લો ગાર્ડન, કોમર્સ કોલેજ, નારણપુરા અને આશ્રમ રોડ વિસ્તારમાં રાત્રિના 10.30 થી 2 વાગ્યા સુધી કાર્યવાહી કરવામાં આવી. આ દરમિયાન ફૂડ કાઉન્ટર, ટેબલ-ખુરશી સહિતના દબાણો દૂર કરી લોખંડના કાઉન્ટર/છતવાળી લારીઓ તથા અન્ય પરચુરણ સામાન મળીને કુલ 347 જેટલો માલસામાન જપ્ત કરવામાં આવ્યો.

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં SG હાઈવે, ઇસ્કોન ચાર રસ્તા, ઝાયડસ ચાર રસ્તા, ગોતા ચાર રસ્તા, ડ્રાઇવ-ઇન રોડ, હિમાલય મોલ, વસ્ત્રાપુર તળાવ, જજીઝ બંગલો રોડ, SP રિંગ રોડથી ભાડજ સર્કલ, સાયન્સ સિટી અને સિંધુ ભવન રોડ, કારગિલથી ગુજરાત હાઈકોર્ટ સુધીનો SG હાઈવે, વસ્ત્રાપુર તળાવ સહિતના વિસ્તારોમાં રાત્રિના 10.30 થી 1.30 વાગ્યા સુધી નાઈટ ડ્રાઈવ યોજાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન લોખંડના કાઉન્ટર/છતવાળી અને વાંસવાળી લારીઓ, બોર્ડ-બેનર તથા અન્ય પરચુરણ સામાન મળીને કુલ 335 જેટલો માલસામાન જપ્ત કરાયો હતો.

ઉત્તર ઝોનમાં મેમ્કોથી કુબેરનગર, હીરાવાડી BRTSથી ઠક્કરબાપાનગર, બાપુનગર એપ્રોચથી ચામુંડાનગર, માછલી સર્કલથી આદર્શનગર, વમની કાંકરીયાથી નરોડા ગામ તેમજ નવા નરોડા રોડ સુધી રાત્રિના 10થી 12.30 વાગ્યા સુધી નાઈટ ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં લોખંડના કાઉન્ટર/છતવાળી લારીઓ સહિત કુલ 43 જેટલો માલસામાન જપ્ત કરવામાં આવ્યો. પૂર્વ ઝોનમાં સોનીની ચાલી, વિરાટનગર, કેનાલથી ડામર સર્કલ અને ઓઢવ વિસ્તારમાં સાંજના 6 થી રાત્રિના 10 વાગ્યા સુધી કાર્યવાહી કરી લારીઓ, જાહેરાતના હોર્ડિંગ્સ/બોર્ડ-બેનર, વાંસ/વળી/તાડપત્રી સહિત કુલ 47 જેટલો માલસામાન જપ્ત કરાયો હતો.

મધ્ય ઝોનમાં દરિયાખાના ઘુમ્મટ રોડ, જે.પી. ચોક રોડ, કાલુપુર રેલવે સ્ટેશન રોડ અને સિવિલ હોસ્પિટલ રોડ વિસ્તારમાં રાત્રિના 8થી વહેલી સવારના 3 વાગ્યા સુધી કાર્યવાહી કરી લારીઓ, જાહેરાતના હોર્ડિંગ્સ અને અન્ય પરચુરણ સામાન મળીને કુલ 59 જેટલો માલસામાન જપ્ત કરાયો તથા જાહેર રસ્તાની બાજુ બનાવેલા ત્રણ કાચા શેડ દૂર કરવામાં આવ્યા હતા.

અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા શહેરમાં દબાણ વિરોધી કાર્યવાહી નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...