અમદાવાદ : ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે અમદાવાદ પહોંચ્યા. રાજ્યમાં 27 વર્ષ સત્તાનો વનવાસ તોડવા માટે રાહુલ ગાંધીએ ઘણી મોટી જાહેરાતો કરી. રાહુલ ગાંધીએ વાયદો કર્યો કે જો તેમની પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવે છે, તો તેઓ ખેડૂતોના 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરી દેશે. એટલું જ નહીં રાહુલ ગાંધીએ ખેડૂતોને ફ્રી વિજળી, ઘરેલૂ કનેક્શન પર 300 યૂનિટ ફ્રી વિજળી જેવા વાયદા પણ કર્યા.
સરકાર બન્યા બાદ ગુજરાત માટે કોંગ્રેસ શું કરશે તેમાં વચનોની આપતા રાહુલ ગાંધીએ કહ્યું…
પહેલા ખેડૂતોનું 3 લાખનુ દેવુ માફ કરીશું.
કોવિડ સમયમાં ગુજરાતમાં 3 લાખ લોકોના મોત થયા. કોવિડમાં મોતને ભેટેલા લોકોને 4 લાખનું વળતર આપીશું.
ખેડૂતોનું વીજળી બિલ માફ કરીશું. 300 યુનિટ સામાન્ય ગ્રાહકોને આપીશું.
દીકરીઓ માટે મફત શિક્ષણ આપીશું.
હજારો શાળાઓને બીજેપીએ બંધ કરાવી છે, અમે 3000 અંગ્રેજી મીડિયમ શાળા ખોલીશું.
દૂધ ઉત્પાદકોને 5 રૂપિયાની સબસીડી અને ગેસ સિલિન્ડર 1000 ના બદલે 500 રૂપિયામાં આપીશું. જે યુપીએ સરકારમાં 400 રૂપિયામાં મળતો હતો.
અમારું ફોકસ રોજગારી પર લગાવીશું. 10 લાખ યુવાઓને રોજગારી આપીશું