Saturday, January 24, 2026

અમદાવાદમાં બાળકોની સાથે બાળક બન્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વાયરલ થઈ તસવીરો

spot_img
Share

અમદાવાદ : ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ફનબ્લાસ્ટની મુલાકાત કરી લીધી હતી. જેથી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા લખ્યું કે, ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના વિસ્તારની આંગણવાડીઓના બાળકો માટે ખુબ સુંદર અને સંવેદનાપૂર્ણ પહેલ શરૂ કરી છે, ‘રમશે બાળક, ખીલશે બાળક’. આ પહેલ અંતર્ગત, આંગણવાડીઓના બાળકોને રમકડાઓનું વિતરણ તેમજ તેમની સાથે મનોરંજન પ્રવાસ કરવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 10 વાગ્યે અમદાવાદના એસ.જી. હાઇવે ખાતે આવેલા ફન બ્લાસ્ટમાં પહોંચ્યા હતા. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતી તમામ વિધાનસભાની આંગણવાડીનાં બાળકો દર શનિવારે એસ.જી. હાઇવે અને સિંધુભવન રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ખાતે ગેમ ઝોનમાં રમત રમવા માટે અને મજા કરવા માટે આવતાં હોય છે ત્યારે આજે નાનાં બાળકોની સાથે સમય વિતાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા.

ફન બ્લાસ્ટ ખાતે પહોંચ્યા ત્યારે નાનાં બાળકો દ્વારા બે હાથ ઊંચા કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફન બ્લાસ્ટ ગેમ ઝોન ખાતે જમ્પિંગથી લઈને નાની રમતોમાં મુખ્યમંત્રી સાથે રહ્યા હતા અને બાળકોને ખૂબ મજા કરાવી હતી ફન બ્લાસ્ટમાં મુખ્યમંત્રી આજે આંગણવાડીનાં બાળકો સાથે સમય વિતાવવા પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી બાળકો સાથે અનેક પ્રકારની એક્ટિવિટીઓમાં જોડાયા હતા. ક્યાંક ટ્રેનમાં બેસીને મુખ્યમંત્રીએ નાના બાળકની જેમ રમતનો આનંદ માણ્યો, તો ક્યાંક અધિકારીઓ સાથે બાળક બનીને હળવી મજાક કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, બાળકોની કાલીઘેલી ભાષા.. તેમની આંખોમાં જોવા મળતું વિસ્મય.. દેશ દુનિયા અંગે જાણવાની તેમની જીજ્ઞાસા.. આ અનુભવ મારા માટે અવિસ્મરણીય બની રહેશે. ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકરો આ પહેલ હેઠળ જુદા જુદા વિસ્તારોમાં જઈ બાળકોના જુના રમકડા એકત્રિત કરીને આંગણવાડીઓના બાળકોને આપવાની સેવા પ્રવૃત્તિ કરે છે. તમારા બાળક ન રમતા હોય તેવા જૂના રમકડા તમે પણ આંગણવાડીના બાળકોને ચોક્કસ આપશો.

વધુમાં કહ્યું કે, આ નાનકડા ફૂલોના મુખ પર જોવા મળતું સ્મિત એ બહુ મોટી મૂડી છે. તેનું મૂલ્ય આંકી શકાય એમ નથી. બાળક સાથે સમય વિતાવ્યાં બાદ તેમણે આ અનુભવ શેર કર્યો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલે અનેક વખત આવા કાર્યક્રમોમાં જતા જોવા મળતા હોય છે. આજે પણ મુલાકાતની તસવીરો વાયરલ થઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...