Monday, January 19, 2026

જુના વાડજના રામાપીરના ટેકરા પર ગેસ રિફિલિંગ કરતા બે ઝડપાયા, 93 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

spot_img
Share

અમદાવાદ : શહેરના જુના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરા પર વાડજ પોલીસની ટીમે દરોડો પાડીને ગેસના સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરતા ગેસ રિફિલિંગ કરવાનું કૌભાંડ ઝડપી પાડયું છે. વાડજ પોલીસની ટીમે સ્થળ પરથી ગેસ રીફીલિંગના સાધનો અને ગેસની નાની મોટી 21 રીફીલની બોટલો સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જુના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા સેક્ટર 5 પાછળ ખુલ્લી જગ્યામાં બે શખ્સ ઘર વપરાશના ગેસના બાટલામાંથી ગેરકાયદેસર રીતે ઘર વપરાશના ગેસના બાટલામાં ગેસ રિફિલિંગ કરતા હોવાની પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ડાંગરને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા મયુર રાવત (રહે. રામ કોલોની, નવા વાડજ) અને કાનજી પરમાર (રહે. ભરવાડવાસ, નવા વાડજ)ને ઝડપી લીધા હતા.

સ્થળ પરથી પોલીસને 21 ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા.બંને શખ્સો એક સિલિન્ડરમાંથી ખાલી ગેસ સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરી રહ્યા હતા. પોલીસને આરોપીઓ પાસેથી ગેસ સિલિન્ડરનું બુકીંગ ધરાવતા 19 ગ્રાહકોની બુકીંગ સ્લીપ પણ મળી હતી. જેથી પોલીસે તમામ ગેસની બોટલો સહિત 93,280 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ વાડજ પોલીસે મયુર રાવત અને કાનજી ઉર્ફે બળવંત પરમાર સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે વાડજમાં આવેલી ગેસ એજન્સીમાંથી ગ્રાહકોને ડીલેવરી થાય તે પહેલા સિલિન્ડરનું સીલ તોડીને તેમાંથી બે થી ત્રણ કિલો ગેસની ચોરી કરીને ડુપ્લીકેટ સીલ ફરીથી લગાવી દેતા હતા. આમ ગ્રાહકો સાથે છેતરપિંડી કરીને ચોરી કરેલો ગેસ ખાલી સિલિન્ડરમાં ભરીને બજારમાં બમણી કિંમતે વેચાણ કરતા હતા.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...