Saturday, May 30, 2026

અમદાવાદમાં GHB ની અનેક સોસાયટીઓમાં ગીફટ મની અપાતા રીડેવલપમેન્ટમાં નવો ઉત્સાહ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં નારણપુરા, સોલા સહિત પૂર્વના અનેક વિસ્તારોમાં રીડેવલપમેન્ટની કામગારી પુરજાેશમાં ચાલી રહી છે. અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ મુદ્દે નવેસરથી ચર્ચાઓ ઉઠી છે.

અત્યાર સુધી હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં સૌથી મોટી માંગ એટેલે કે મોટુ બાંધકામ અને ગીફટ મની છે.જેના કારણે અનેક સોસાયટીઓના રીડેવલપમેન્ટના કામકાજ ધીમીગતિએ ચાલી રહ્યા છે તો ક્યાંક અટકયા છે.પ્રથમ તો મોટા બાંધકામનો પ્રશ્ન તો હવે ચર્ચાઓમાં રહ્યો નથી, કારણ કે રીડેવલપમેન્ટ પોલીસી મુજબ મુળ બાંધકામ કરતા 40 ટકા વધુ બાંધકામ લોકોને મળી રહ્યું છે.પરંતુ ગીફટ મનીને કયાંક ફર્નીચરના તરીકે, તો કયાંય રોકડ તરીકે ગીફટ મનીની ડિમાન્ડ થઈ રહી છે.

એક ચર્ચા મુજબ નારણપુરા, સોલા અને પૂર્વમાં અનેક સોસાયટીઓમાં બિલ્ડર દ્વારા ગીફ્ટ મની કે ફર્નીચર તરીકે રોકડ આપવામાં આવતા લોકોમાં રીડેવલપમેન્ટ પ્રત્યે ઉત્સાહ વધ્યો છે.

નારણપુરા અને સોલા વિસ્તારમાં શરૂઆતમાં કેટલીક સોસાયટીઓમાં ગીફટ મની નહીં અપાતા લોકોમાં નારાજગી જાેવા મળી હતી, પરંતુ છેલ્લાં ઘણા સમયથી અનેક બિલ્ડર દ્વારા અનેક સોસાયટીઓમાં ફર્નીચર તરીકે ગીફ્ટ મની આપતા રહીશોમાં આનંદની લાગણી વ્યાપી છે.અને હજુ પણ આવનાર સમયમાં અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટના પ્રોજેકટ કાર્યરત છે, તો દરેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની કામગીરીમાં ગીફ્ટ મની અપાય તેવી લોકોની માંગણી છે.

તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં નારણપુરામાં નીધી એપાર્ટમેન્ટમાં ગીફટ મની તરીકે 5 લાખ અને શાસ્ત્રીનગરમાં એમ બ્લોકમાં બિલ્ડર દ્વારા ગીફટ મની તરીકે 10 ગ્રામ સોનાની લગડી આપવામાં આવી છે. આ અગાઉ પણ વસ્ત્રાપુરના આનંદવિહાર એપાર્ટમેન્ટ, નારણપુરાના એકતા ફેસ્ટિવલ, નવા વાડજના કીરણપાર્કમાં ગીફટ મની આપ્યા હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે.

જાે કે સરકારની હાઉસીંગની રીડેવલમેન્ટ પોલીસીમાં કયાંય ગીફટ મનીનો ઉલ્લેખ નથી, સાથે સાથે એવો પણ કોઈ ઉલ્લેખ નથી કરાયો કે જેમાં કહેવામાં આવ્યું છે કે ગીફટ મની ન આપવી, જાે હોય તો સ્પષ્ટ ઉલ્લેખ કર્યાે હોય કે ગીફટ મની પર પ્રતિબંધ છે.આમ પોલીસી વખતે ગીફટ મની મુદ્દે લોકો પર છોડી દેવામાં આવ્યું હોવાનું જાણકારો માની રહ્યાં છે.જયાં રહીશો અને બિલ્ડર વચ્ચે સહમતી સધાય તો આપી શકાય અને ન સધાય તો ઈન્કાર પણ કરી શકાય એમ છે.

આમ સરકારની રિડેવલપમેન્ટ પોલીસીની વાત માનીએ તો સરકાર કે હાઉસીંગ બોર્ડ ગીફટ મનીને લઈને કયાંય વચ્ચે આવતું નથી. આ મુદ્દો હાઉસીંગના રહીશો અને બિલ્ડર પર છોડી દીધો હોવાનું મનાઈ રહ્યું છે.

આમ તાજેતરમાં નારણપુરાની નારણપુરામાં નીધી એપાર્ટમેન્ટમાં ગીફટ મની તરીકે 5 લાખ અને શાસ્ત્રીનગરમાં એમ બ્લોકમાં બિલ્ડર દ્વારા ગીફટ મની તરીકે 10 ગ્રામ સોનાની લગડી આપવામાં આવતા હાઉસીંગના રહીશો ગેલમાં આવી ગયા છે.અને આવનાર સમયમાં તેઓને રીડેવલપમેન્ટ બાદ ગીફટ મની મળશે એવી આશા સેવી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...