અમદાવાદ : અમદાવાદમાં છેલ્લાં બે વર્ષના ગાળામાં હાઉસિંગ બોર્ડે ૬૦થી વધુ પ્રોજેકટ મંજુર કર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.સાથે સાથે અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયાની કાર્યવાહી ચાલી રહી છે, તો બીજી તરફ છેલ્લાં એકાદ વર્ષથી એમાંય ખાસ કરીને 2025ના વર્ષ દરમિયાન છેલ્લા ત્રણ મહિનામાં હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ પ્રક્રિયામાં આંશિક ઘટાડો જાેવા મળ્યો છે.જેમાં અલગ અલગ સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ મુદ્દે મતમતાંતર જાેવા મળી રહ્યા છે.અનેક સોસાયટીઓમાં બહુમત સભ્યો રીડેવલપમેન્ટ માટે મંજુરી આપે છે તો કયાંક વિરોધ પણ જાેવા મળી રહ્યો છે.
અમદાવાદમાં સોલા, નારણપુરા અને નવા વાડજ સહિત પૂર્વના અનેક વિસ્તારોમાં હાઉસિંગ બોર્ડની અનેક સોસાયટીઓ (કોલોનીઓ) આવેલ છે, જેમાં અનેક સોસાયટીઓમાં અનેક મકાનો જર્જરિત અને જાેખમી અવસ્થામાં હોવાનું મનાય છે. કેટલીક સોસાયટીઓ તો આખે આખી જર્જરિત અને જાેખમી અવસ્થામાં હોવાનું બોર્ડ અને મ્યુ કોર્પાેરેશન જણાવી રહ્યા છે.
અમદાવાદમાં અલગ અલગ સોસાયટીઓમાં અલગ અલગ મુદ્દે રિડેવલપમેન્ટ ખોરંભે ચડયા છે.મોટાભાગની સોસાયટીઓમાં બહુમત સભ્યો રીડેવલપમેન્ટ ઝંખી રહ્યા છે ત્યારે જુજ સભ્યો રોળા નાખી રીડેવલપમેન્ટ અટકાવી રાખવાનો અસંમત સભ્યો પર આરોપ લગાવી રહ્યા છે. અસંમત સભ્યોની માગણીઓ, જેમાં મુખ્યત્વે 40 ટકા કાર્પેટ એરિયાની સામે થ્રી બીએચકીની માંગણી, જમીન હક્ક, સાત માળ, ફ્રી હોલ્ડ, સેલ્ફ રીડેવલપમેન્ટ વગેરે બાબતે રીડેવલપમેન્ટની પ્રક્રિયા અટકેલ છે.
પરંતુ આ તમામ પ્રશ્નો સમસ્યાઓની વચ્ચે સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ છે કે સોસાયટી દીઠ બે-પાંચ ટકા જુજ અસંમત સભ્યોને કારણે રીડેવલપમેન્ટ ઈચ્છતા સોસાયટીના બહુમતી સભ્યોને જર્જરિત અને જાેખમી મકાનોમાં રહેવાનો વારો આવ્યો છે. તેઓ જીવના જાેખમે લોકો રહેવા મજબૂર બન્યા છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આગામી સમયમાં આવનાર ચોમાસામાં વરસાદને લઈને અનેક સોસાયટીઓમાં સમારકામને અભાવે જર્જરિત અને જાેખમી મકાનોમાં કોઈ જાનહાનિ સર્જાશે તો જવાબદારી કોની…? રહીશની ? એસોસિયેશનની ? હાઉસિંગ બોર્ડની કે અસંમત સભ્યોની ?


