અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ૩૫૨ એમ.આઈ.જી. ઉદય એપાર્ટમેન્ટ, નારણપુરા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત રહેવાસીઓ દ્વારા મહત્વપૂર્ણ અને હકારાત્મક પહેલ કરવામાં આવી છે. ઉદય એપાર્ટમેન્ટ એસોસિએશન દ્વારા ટૂંકા ગાળામાં મોટી સંખ્યામાં રહેવાસીઓની સંમતિ મેળવી રીડેવલપમેન્ટ પ્રક્રિયાને ગતિ આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ઉદય એપાર્ટમેન્ટ એસોસિએશન દ્વારા માત્ર પાંચ મહિનાના સમયમાં 352 સભ્યોમાંથી 268 થી વધુ સભ્યોની નોટરાઇઝ સંમતિ મેળવી ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી ખાતે સત્તાવાર રીતે દસ્તાવેજાે જમા કરાવવામાં આવ્યા છે. આ પ્રક્રિયામાં 75 ટકાથી વધુ સભ્યોનો સહકાર મળ્યો હોવાનું જણાવાયું છે, જે રહેવાસીઓની એકતા અને વિકાસ પ્રત્યેની સકારાત્મક માનસિકતા દર્શાવે છે.
આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ શ્રીમતી લીનાબેન ગિરીશભાઈ પંડ્યા, ઉપપ્રમુખ શ્રી મીત જયકાંત સોની, સેક્રેટરી શ્રી મયંક શિવકુમાર વ્યાસ, ખજાનચી શ્રી હરિકૃષ્ણ ચિતારા તેમજ કારોબારી સમિતિના સભ્યોએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, રહેવાસીઓના સુરક્ષિત, આધુનિક અને સુવિધાસભર નિવાસના હિતમાં એસોસિએશન સતત હકારાત્મક અને પારદર્શક પ્રયત્નો કરી રહ્યું છે.
એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસલક્ષી અને જનહિતકારી રીડેવલપમેન્ટ નીતિને સમર્થન આપતાં તેઓ રહેવાસીઓના હિતને સર્વોપરી રાખીને આગળ પણ કાર્યરત રહેશે.
ઉદય એપાર્ટમેન્ટના રહેવાસીઓએ આશા વ્યક્ત કરી છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રીડેવલપમેન્ટ પ્રક્રિયામાં ઝડપી અને હકારાત્મક ર્નિણય લેવામાં આવશે, જેથી રહેવાસીઓને આધુનિક સુવિધાઓથી સજ્જ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત નિવાસ મળી શકે.
સ્થાનિકોનું માનવું છે કે રી-ડેવલપમેન્ટ યોજનાથી વિસ્તારમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસશે તેમજ રહેવાસીઓના જીવનસ્તરમાં પણ નોંધપાત્ર સુધારો થશે.


