Wednesday, August 26, 2026

AMC ફૂડ વિભાગની ભેળસેળિયા વેપારી સામે કાર્યવાહી, કાલુપુર અને બાપુનગરમાં જાણીતી મીઠાઈની દુકાન-કારખાનું સીલ!

spot_img
Share

અમદાવાદ : આગામી દિવસોમાં તહેવારની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે જો તમે બહારથી મીઠાઈ ખરીદતા હોય તો સાવધાન રહેજો કારણ કે મીઠાઈમાં પણ હવે ભેળસેળ હોય છે અને તમારા આરોગ્યને નુકસાન થઈ શકે છે. તહેવારોની સિઝનમાં શહેરના નાગરિકો દ્વારા મીઠાઈ, નમકીન-ફરસાણ, બિસ્કિટ, કૂકીઝ સહિત વિવિધ ખાદ્ય પદાર્થોની મોટા પ્રમાણમાં ખરીદી કરવામાં આવે છે. આ દરમિયાન નાગરિકોને સલામત, ગુણવત્તાયુક્ત અને ભેળસેળમુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કડક ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના સાતેય ઝોનમાં હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન કુલ 22 જેટલા એકમો પર રેપિડ કિટની મદદથી સ્થળ પર જ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન કાલુપુર અને બાપુનગર વિસ્તારમાં ગંભીર ભેળસેળ અને ભારે અસ્વચ્છતા સામે આવતા ફૂડ વિભાગે આકરાં પગલાં ભરીને મીઠાઈની જાણીતી દુકાન અને કારખાનાને સીલ કરી દીધા છે.

દરોડાની કામગીરી દરમિયાન કાલુપુર વિસ્તારમાં આવેલી અતિ જાણીતી ‘શ્રી કનૈયાલાલ માવાવાળા’ નામની દુકાન પર ફૂડ વિભાગની ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. ત્યાં ઉપલબ્ધ કાજુકતરીનો સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. કાજુકતરી પર ચાંદીના વરખના નામે અન્ય હલકી ગુણવત્તા ધરાવતી ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ટેસ્ટિંગમાં સાબિત થતાં AMCની ટીમે તુરંત જ ‘કનૈયાલાલ માવાવાળા’ના એકમને સીલ મારી દીધું હતું.

ફૂડ વિભાગે પોતાની તપાસનો દૌર આગળ ધપાવતા બાપુનગર અને દરિયાપુર વિસ્તારમાં પણ આકરા પગલાં લીધા હતા. બાપુનગરમાં ગુણવત્તા વગરની સામગ્રીથી ગેરકાયદેસર રીતે કાજુકતરી બનાવતું આખું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનની જરૂરી મંજૂરી કે ફૂડ લાયસન્સ વગર ધમધમતી અને દરીયાપુર તથા બાપુનગર કનેક્શન ધરાવતી ‘બાલાજી માવાવાળા’ નામની પેઢીમાં ભારે અસ્વચ્છતા અને ગંદકી જોવા મળતાં તેને પણ સ્થળ પર જ સીલ કરી દેવાયું છે.

AMC દ્વારા શહેરના તમામ Food Business Operators (FBO), મીઠાઈ ઉત્પાદકો, ફરસાણ ઉત્પાદકો, ડેરી પ્રોડક્ટ ઉત્પાદકો તથા અન્ય ખાદ્ય વ્યવસાયકારોને તહેવારોની સિઝનમાં વિશેષ કાળજી રાખવાની રહેશે. AMC ફૂડ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તહેવારો દરમિયાન વેચાતી મીઠાઈ કે ફરસાણની દુકાનોમાં જો ગંદકી, ભેળસેળ કે લાયસન્સ વગરનું વેચાણ માલૂમ પડશે તો તેમની સામે સીલિંગ સહિતની કડક કાયદાકીય કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...